Today News : ‘ઓડિશામાં 40,000 થી વધુ મહિલાઓ ગાયબ થઈ ગઈ છે’, ભુવનેશ્વરમાં રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહારો

Today Latest News Update in Gujarati 11 July 2025: લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આજે ​​ભુવનેશ્વરના બારામુંડા ગ્રાઉન્ડ ખાતે 'સંવિધાન બચાવો સંવાસ' નામની વિશાળ રેલીને સંબોધિત કરી.

Written by Ankit Patel
Updated : July 11, 2025 23:27 IST
Today News : ‘ઓડિશામાં 40,000 થી વધુ મહિલાઓ ગાયબ થઈ ગઈ છે’, ભુવનેશ્વરમાં રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (તસવીર - @RahulGandhi))

Today Latest News Update in Gujarati 11 July 2025: લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આજે ​​ભુવનેશ્વરના બારામુંડા ગ્રાઉન્ડ ખાતે ‘સંવિધાન બચાવો સંવાસ’ નામની વિશાળ રેલીને સંબોધિત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક મોટો દાવો કર્યો અને કહ્યું કે ઓડિશામાં 40,000 થી વધુ મહિલાઓ ગાયબ થઈ ગઈ છે. આજ સુધી એ ખબર નથી કે આ મહિલાઓ ક્યાં ગઈ છે. અહીં દરરોજ મહિલાઓ પર અત્યાચાર થાય છે. અહીંની સરકારનો આ સાથે કોઈ સંબંધ નથી.

રાહુલ ગાંધીએ કહ્યું, ‘ઓડિશા સરકારનું એકમાત્ર કામ રાજ્યના ગરીબ લોકોના હાથમાંથી ઓડિશાની સંપત્તિ છીનવી લેવાનું છે. પહેલા બીજેડી સરકારે આવું કર્યું હતું અને હવે ભાજપ સરકાર પણ એ જ કરી રહી છે. એક તરફ ઓડિશાના ગરીબ લોકો, દલિતો, આદિવાસી, પછાત વર્ગ, ખેડૂતો અને મજૂરો છે, અને બીજી તરફ 5-6 અબજોપતિઓ અને ભાજપ સરકાર છે. આ લડાઈ ચાલુ છે. ઓડિશાના લોકો સાથે મળીને ફક્ત કોંગ્રેસના કાર્યકરો જ આ લડાઈ જીતી શકે છે, બીજું કોઈ નહીં.

Read More
Live Updates

ભવિષ્યની ઉડાન! લંડનના ગેટવિક એરપોર્ટ પર લેન્ડ થઈ પ્રથમ ઇલેક્ટ્રિક ફ્લાઇટ

લંડનના ગેટવિક એરપોર્ટ પર પ્રથમ વખત ઇલેક્ટ્રિક ફ્લાઇટ લેન્ડ થઈ છે. આ ફ્લાઇટ VINCI એરપોર્ટ્સ નેટવર્ક ઇલેક્ટ્રો ટૂરનો ભાગ છે, જેનો હેતુ એ બતાવવાનો છે કે ફ્લાઇટ્સ પર્યાવરણ માટે પણ સારી હોઈ શકે છે, ચાલો જાણીએ તેના વિશે… …બધું જ વાંચો

નામિબિયાથી લવાયેલા ચિત્તાઓના વિસ્તારમાં જોવા મળ્યું એક દુર્લભ પ્રાણી

caracal sighting india: કેમેરા ટ્રેપમાં પુખ્ત નર કારાકલ (જંગલી બિલાડાનો એક પ્રકાર)નો ફોટો આવ્યા બાદ કારાકલની પુષ્ટિ થઈ છે. વન અધિકારીઓના મતે રાજ્યની જૈવવિવિધતા અને સંરક્ષણ પ્રયાસોની દ્રષ્ટિએ આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. …સંપૂર્ણ માહિતી

ગુજરાતમાં શનિવારથી ચોમાસું ગતિ પકડશે, 14 જુલાઈ સુધી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમી પડેલું ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડશે તેવી આગાહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. …બધું જ વાંચો

જો ઋષભ પંત રમવા નહીં ઉતરે તો તેના સ્થાને કોણ બેટિંગ કરશે, જાણો શું છે આઈસીસીનો નિયમ

Rishabh Pant Finger injury : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર ઋષભ પંતને લોર્ડ્સ ટેસ્ટ મેચના પ્રથમ દાવના પ્રથમ દિવસે ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. હવે સવાલ એ છે કે જો તે બેટિંગ કરવા નહીં ઉતરે તો તેના સ્થાને કોણ બેટિંગ કરશે …બધું જ વાંચો

ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને NSA અજીત ડોભાલે કહ્યું - કોઇ એવી તસવીર દેખાડો જેમાં ભારતને નુકસાન થયું હોય

NSA Ajit Doval On Operation Sindoor: એનએસએ અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર પર કહ્યું કે બ્રહ્મોસથી લઈને રડાર સુધી આપણે પુરી રીતે ભારતીય સામાનનો ઉપયોગ કર્યો હતો. અમને ખરેખર ગર્વ છે …અહીં વાંચો

Air Force Agniveer Vacancy 2025: ધો.12 પાસ ઉમેદવારો માટે ભારતીય વાયુસેનામાં નોકરી તક, 31 જુલાઈ છેલ્લી તારીખ

ભારતીય વાયુસેના અગ્નિવીર ઓનલાઇન અરજી 2025 : ભારતીય વાયુસેનાની આ ભરતીમાં ઉમેદવારો છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી અરજી કરી શકે છે. વાયુસેનામાં અગ્નિવીર કેવી રીતે બનવું? અગ્નિવીર બનવા માટે કઈ લાયકાત જરૂરી છે? બધું જાણો.
અહીં વાંચો

Today News Live : 'ઓડિશામાં 40,000 થી વધુ મહિલાઓ ગાયબ થઈ ગઈ છે', ભુવનેશ્વરમાં રાહુલ ગાંધીની ગર્જના

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આજે ​​ભુવનેશ્વરના બારામુંડા ગ્રાઉન્ડ ખાતે ‘સંવિધાન બચાવો સંવાસ’ નામની વિશાળ રેલીને સંબોધિત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક મોટો દાવો કર્યો અને કહ્યું કે ઓડિશામાં 40,000 થી વધુ મહિલાઓ ગાયબ થઈ ગઈ છે. આજ સુધી એ ખબર નથી કે આ મહિલાઓ ક્યાં ગઈ છે. અહીં દરરોજ મહિલાઓ પર અત્યાચાર થાય છે. અહીંની સરકારનો આ સાથે કોઈ સંબંધ નથી.

રાહુલ ગાંધીએ કહ્યું, ‘ઓડિશા સરકારનું એકમાત્ર કામ રાજ્યના ગરીબ લોકોના હાથમાંથી ઓડિશાની સંપત્તિ છીનવી લેવાનું છે. પહેલા બીજેડી સરકારે આવું કર્યું હતું અને હવે ભાજપ સરકાર પણ એ જ કરી રહી છે. એક તરફ ઓડિશાના ગરીબ લોકો, દલિતો, આદિવાસી, પછાત વર્ગ, ખેડૂતો અને મજૂરો છે, અને બીજી તરફ 5-6 અબજોપતિઓ અને ભાજપ સરકાર છે. આ લડાઈ ચાલુ છે. ઓડિશાના લોકો સાથે મળીને ફક્ત કોંગ્રેસના કાર્યકરો જ આ લડાઈ જીતી શકે છે, બીજું કોઈ નહીં.

Gambhira Bridge Collapse : ગંભીરા પુલ દુર્ઘટના, મૃત્યું આંક વધ્યો, ઋષિકેશ પટેલે કહ્યુ 30 દિવસમાં તપાસ પુરી થશે

Gambhira Bridge Collapse latest updates : ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત નીપજ્યા હતા. જોકે, આજે સવારે વધુ એક મૃતદેહ બહાર કઢાયો હતો. અને સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના મોતના સમાાચાર છે. …સંપૂર્ણ વાંચો

Today News Live : ગુજરાતમાં સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 11 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા વચ્ચે 6 કલાકમાં રાજ્યના 40 તાલુકામા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના ડોલવાનમાં 1.14 ઈંચ નોંધાયો હતો.

Today News Live : ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 47.77 ટકા વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 11 જુલાઈ 2025 રોજ ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 47.77 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છણાં 57.93 ટકા, ઉત્તર ગુજરાતમાં 42.08 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 45.90 ટકા, સૌરાષ્ટ્રમાં 47.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 52.18 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

Gujarat bharti 2025 : ભરૂચ જિલ્લામાં ₹ 30000ની નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો શું જોઈશે લાયકાત?

Gujarat bharti 2025, nutvan gram vidhyapith Recruitment : નૂતન ગ્રામ વિદ્યાપીઠ ભરૂચ ભરતી અંતર્ગત શ્રમ સંયોજક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો. …વધુ વાંચો

Today News Live : ગુજરાતમાં સવારે 6થી 8 વાગ્યા વચ્ચે 23 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 11 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે બે કલાકમાં રાજ્યના 23 તાલુકામા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના ડોલવાનમાં 0.67 ઈંચ નોંધાયો હતો.

Gujarat Rain : ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો, 24 કલાકમાં 92 પૈકી ભાવનગરના બે જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

today 11 July 2025 Gujarat rain fall data in gujarati : રાજ્યમાં 24 કલાકમાં વરસાદના આંકડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ માત્ર બે તાલુકામાં જ નોંધાયો છે. એ પણ માત્ર 2.13 ઈંચ સુધી જ રહ્યો છે. …બધું જ વાંચો

Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 10 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 11 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરના ગારિયાધારમાં 2.13 ઈંચ અને સિહોરમાં 1.81 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Today News Live : ગંભીરા પુલ દુર્ઘટનામાં સતત ત્રીજા દિવસે બચાવ કામગીરી યથાવત્

વડોદરા ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધી 18 લોકોના મોત થયાની પુષ્ટી થઈ છે. આ ઉપરાંત દુર્ઘટનાના 36 કલાક બાદ એટલે કે ત્રીજા દિવસે પણ ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ