Today Latest News Update in Gujarati 15 July 2025: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ એક્સિઓમ-4 મિશન અને સાડા 22 કલાકની મુસાફરી પૂર્ણ કરીને પૃથ્વી પર આવ્યા છે. આખો દેશ તેમના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા. શુભાંશુ શુક્લા ભારતના બીજા અવકાશયાત્રી છે જે અવકાશ મિશન પૂર્ણ કરીને પાછા ફર્યા છે. તેઓ એક્સિઓમ-4 મિશન પર ગયા હતા. આ મિશન દરમિયાન તેમણે ઘણા મહત્વપૂર્ણ પ્રયોગો પણ કર્યા હતા.