Today News Live: Today News Live : રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું; કહ્યું- મને બોલવાની મંજૂરી નથી

Today Latest Live News Update in Gujarati 21 July 2025: સંસદ 2025નું ચોમાસુ સત્ર ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે હોબાળા સાથે શરૂ થયું. બંને ગૃહો - લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાની થોડી મિનિટોમાં જ બપોર સુધી સ્થગિત કરવામાં આવી. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વિપક્ષને ગૃહમાં બોલવાની મંજૂરી આપવી જોઈએ.

Written by Ankit Patel
Updated : July 22, 2025 09:58 IST
Today News Live: Today News Live : રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું; કહ્યું- મને બોલવાની મંજૂરી નથી
રાહુલ ગાંધીએ પોતાનામાં રહેલી ખામીનો સ્વીકાર કર્યો (Photo: Rahul Gandhi/X)

Today Latest News Live Update in Gujarati 21 July 2025: સંસદ 2025નું ચોમાસુ સત્ર ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે હોબાળા સાથે શરૂ થયું. બંને ગૃહો – લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાની થોડી મિનિટોમાં જ બપોર સુધી સ્થગિત કરવામાં આવી. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વિપક્ષને ગૃહમાં બોલવાની મંજૂરી આપવી જોઈએ.

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘જુઓ, પ્રશ્ન એ છે કે જે સંરક્ષણ પ્રધાનને ગૃહમાં બોલવા દે છે અને તેમના લોકોને બોલવા દે છે. પરંતુ જો વિપક્ષમાંથી કોઈ કંઈક કહેવા માંગે છે, તો તેને મંજૂરી નથી. હું લોકસભામાં વિપક્ષી નેતા છું અને મને અધિકાર છે. તેઓએ મને ક્યારેય બોલવા દીધો નહીં. આ એક નવો અભિગમ છે. પીએમ મોદી એક સેકન્ડમાં ગૃહમાંથી ભાગી ગયા અને કંઈ ચર્ચા કરી નહીં. પરંતુ સૌથી મોટો મુદ્દો એ છે કે જો સરકારના લોકો બોલે છે, તો આપણને પણ જગ્યા મળવી જોઈએ. અમે થોડા શબ્દો કહેવા માંગતા હતા પરંતુ વિપક્ષને મંજૂરી નથી.

Read More
Live Updates

V S Achuthanandan Death : કેરળના પૂર્વ CM વી.એસ. અચ્યુતાનંદનનું 102 વર્ષની વયે નિધન

Kerala Former CM V.S. Achuthanandan passes Away: કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને CPI(એમ) નેતા વી.એસ. અચ્યુતાનંદનનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર, 1923ના રોજ અલાપ્પુઝાના એક ગરીબ પરિવારમાં થયો હતો અને બાળપણમાં જ તેમના માતા-પિતાનું અવસાન થયું હતું. …બધું જ વાંચો

V S Achuthanandan Death : કેરળના પૂર્વ CM વી.એસ. અચ્યુતાનંદનનું 102 વર્ષની વયે નિધન

Kerala Former CM V.S. Achuthanandan passes Away: કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને CPI(એમ) નેતા વી.એસ. અચ્યુતાનંદનનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર, 1923ના રોજ અલાપ્પુઝાના એક ગરીબ પરિવારમાં થયો હતો અને બાળપણમાં જ તેમના માતા-પિતાનું અવસાન થયું હતું. …બધું જ વાંચો

Bangladesh Plane Crash: બાંગ્લાદેશ વાયુસેનાનું વિમાન શાળાની ઇમારત પર પડ્યું દુર્ઘટનાગ્રસ્ત, એકનું મોત

Air Force Plane Cras on Milestone College in Uttara : વિમાન માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની ઇમારત સાથે અથડાયું હતું. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સે આ ઘટનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. …બધું જ વાંચો

Today News Live : બાંગ્લાદેશ વાયુસેનાનું વિમાન શાળાની ઇમારત પર પડ્યું દુર્ઘટનાગ્રસ્ત

બાંગ્લાદેશમાં સોમવારે ઢાકાના ઉત્તરામાં વાયુસેનાનું F7 વિમાન ક્રેશ થયું હતું. વિમાન માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની ઇમારત સાથે અથડાયું હતું. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સે આ ઘટનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Today News Live : ગુજરાતમાં બપોરે 2 વાગ્યા વચ્ચે 83 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 21 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 83 તાલુકામા વરસાદ નોંધાયો હતો. આજે સૌથી વધારે વરસાદ અમદાવાદમાં 3.66 ઈંચ નોંધાયો હતો.

Today News Live : 'એક સેકન્ડમાં ગૃહમાંથી ભાગી જાઓ...', રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું

સંસદ 2025નું ચોમાસુ સત્ર ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે હોબાળા સાથે શરૂ થયું. બંને ગૃહો – લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાની થોડી મિનિટોમાં જ બપોર સુધી સ્થગિત કરવામાં આવી. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વિપક્ષને ગૃહમાં બોલવાની મંજૂરી આપવી જોઈએ.

Bharti 2025 : કચ્છમાં પરીક્ષા વગર જ ₹50,000ની નોકરી મેળવાની સુવર્ણ તક, શું જોઈશે લાયકાત? અહીં વાંચો

કચ્છમાં પશુચિકિત્સા ડોક્ટરની ભરતી : કચ્છ ભરતી 2025 અંતર્ગત વેટરનરી ડોક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સ્થળ સહિતની મહત્વની માહિતી અહીં જાણો. …અહીં વાંચો

Today News Live : ગુજરાતમાં બપોરે 12 વાગ્યા વચ્ચે 60 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 21 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 60 તાલુકામા વરસાદ નોંધાયો હતો. આજે સૌથી વધારે વરસાદ અમદાવાદમાં 3.58 ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ ખેડાના કપડવંજમાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Weekly Government Bharti 2025: આ સપ્તાહમાં આ 5 સરકારી નોકરીઓની અરજી પ્રક્રિયા થશે બંધ, ફટાફટ કરો અરજી

Government bharti online apply last date : આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જામનગર મહાનગરપાલિકા, SSC JE, SSC MTS, ક્લાર્ક સહિત 5 મોટી ભરતીઓમાં અરજીઓ બંધ થવા જઈ રહી છે. …વધુ માહિતી

Today News Live : ગુજરાતમાં સવારે 6થી 8 વાગ્યા વચ્ચે 34 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 21 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 34 તાલુકામા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદ શહેરમાં 1.38 ઈંચ પડ્યો હતો.

Gujarat Rain : અમદાવાદમાં સવારથી જ મેઘમહેર, ગુજરાતમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો

today 21 July 2025 Gujarat rain fall data in gujarati :24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના માંગરોળમાં 3.5 ઈંચ અને જામનગરના જોડિયામાં 3.1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
વધુ માહિતી

Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 20 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 21 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના માંગરોલમાં 3.5 ઈંચ પડ્યો હતો. આ ઉપરાંત જામનગરના જોડિયામાં પણ 3.1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Today News Live : સંસદ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે

ચોમાસુ સત્ર પહેલા, સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. તમને જણાવી દઈએ કે સંસદનું આ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં કુલ 21 બેઠકો યોજાશે જે એક મહિના સુધી ચાલશે. સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર ખુલ્લા મનથી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ તે નિયમો અને પરંપરાઓ અનુસાર થશે. કિરેન રિજિજુએ સત્રને સુચારૂ રીતે ચલાવવા માટે તમામ પક્ષો પાસેથી સહયોગ માંગ્યો હતો. તેમણે કહ્યું કે આપણે અલગ અલગ વિચારધારા ધરાવતા પક્ષોના હોઈ શકીએ છીએ, પરંતુ સત્રનું સંચાલન એ દરેકની જવાબદારી છે.

Today News Live : આજથી સંસદનું ચોમાસુ સત્ર શરુ થશે

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ એટલે કે આજથી (સોમવાર) શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર ખૂબ તોફાની રહેવાની શક્યતા છે. વિપક્ષ માંગ કરે છે કે પહેલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર, બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે. તે જ સમયે, સરકાર અનેક બિલો પસાર કરાવવાનો પણ પ્રયાસ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ