Waqf Act : વકફની કયા રાજ્યમાં કેટલી જમીન છે? સરકાર શા માટે કાયદામાં સુધારો કરવા માંગે છે? શું છે મુખ્ય કારણ?

What is Waqf Act : આંકડા મુજબ દેશમાં વક્ફ બોર્ડ પાસે 8 લાખ એકરથી વધુ જમીન હોવાનું કહેવાય છે. વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે કે, દેશમાં વકફની 8 લાખ 72 હજાર 321 સ્થાવર અને 16 હજાર 713 જંગમ મિલકતો છે.

Written by Kiran Mehta
Updated : August 05, 2024 18:08 IST
Waqf Act : વકફની કયા રાજ્યમાં કેટલી જમીન છે? સરકાર શા માટે કાયદામાં સુધારો કરવા માંગે છે? શું છે મુખ્ય કારણ?
શું છે વકફ એક્ટ?

What is Waqf Act | શું છે વકફ એક્ટ : કેન્દ્રની મોદી સરકાર વકફ બોર્ડ એક્ટમાં મોટો સુધારો કરવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં સંસદમાં બિલ લાવવામાં આવી શકે છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં વક્ફ બોર્ડ સંબંધિત 40 સુધારાઓને મંજૂરી આપી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવા સુધારા બાદ વકફ બોર્ડની તાકાતમાં ઘટાડો થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસ દ્વારા વકફ એક્ટમાં કરાયેલા સુધારા બાદ વકફ બોર્ડ પર લાંબા સમયથી જમીન માફિયાની જેમ કામ કરવાનો, અંગત જમીન પચાવવાનો, સરકારી જમીન પચાવવાનો, મંદિરની જમીન અને ગુરુદ્વારા સહિત વિવિધ પ્રકારની મિલકતો જપ્ત કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

વક્ફ બોર્ડ શું છે?

વક્ફનો અર્થ થાય છે ‘અલ્લાહના નામે’. ઇસ્લામમાં તેનો અર્થ ખાસ કરીને ધાર્મિક અથવા સખાવતી હેતુઓને સમર્પિત મિલકત. વકફ એ મિલકત છે, જે ઇસ્લામના અનુયાયીઓ દ્વારા દાનમાં આપવામાં આવે છે. તે જંગમ અને સ્થાવર બંને હોઈ શકે છે. આ સંપત્તિ વક્ફ બોર્ડ હેઠળ આવે છે. તેમાં મસ્જિદો, મદરેસા, કબ્રસ્તાન, ઇદગાહ અને કબરોનો સમાવેશ થાય છે. વક્ફ બોર્ડ બે પ્રકારના હોય છે. પ્રથમ સુન્ની વક્ફ બોર્ડ અને બીજું શિયા વક્ફ બોર્ડ.

વક્ફ બોર્ડ કાયદો ક્યારે બન્યો?

ભારતમાં પ્રથમ વખત વક્ફ બોર્ડ એક્ટ 1954 માં બનાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેને રદ્દ કરવામાં આવ્યો હતો. 1964માં સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી, જે લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ હતી. તેનું કામ વક્ફ બોર્ડ સાથે સંબંધિત કામ અંગે કેન્દ્રને સલાહ આપવાનું છે. 1991 માં બાબરી ધ્વંસની ભરપાઈ માટે પીવી નરસિમ્હા રાવ સરકાર દરમિયાન 1995 માં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં વક્ફ બોર્ડને જમીન સંપાદન માટે અમર્યાદિત અધિકારો આપવામાં આવ્યા હતા. આ પછી, 2013 માં પણ તેમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં વક્ફ બોર્ડને મુસ્લિમ ચેરિટીના નામે મિલકતનો દાવો કરવાનો અમર્યાદિત અધિકાર આપવામાં આવ્યો હતો.

વક્ફ બોર્ડ કેવી રીતે કામ કરે છે?

વકફ બોર્ડમાં સર્વેયર છે. આમાં તે નક્કી કરે છે કે, કઈ મિલકત વકફ બોર્ડની છે. તે ત્રણ આધારો પર નક્કી કરવામાં આવે છે. જો કોઈએ પોતાની મિલકત વકફ બોર્ડના નામે આપી છે. બીજું, જો કોઈ મુસ્લિમ કે મુસ્લિમ સંગઠન લાંબા સમયથી જમીનનો ઉપયોગ કરી રહ્યું હોય અથવા સર્વેમાં સાબિત થયું હોય કે, જમીન વકફ મિલકત છે. દેશભરમાં જ્યાં પણ વકફ બોર્ડ કબ્રસ્તાનની વાડ કરે છે, ત્યાં તેની આસપાસની જમીનને પણ તેની મિલકત તરીકે જાહેર કરે છે.

વક્ફ બોર્ડ આ કબરો અને આસપાસની જમીનનો કબજો લઈ લે છે. ‘વન્સ અ વક્ફ, હંમેશા વક્ફ’નો સિદ્ધાંત અહીં લાગુ પડે છે, એટલે કે – એક વાર મિલકતને વકફ જાહેર કરવામાં આવે તો તે હંમેશા એવું જ રહે છે. વકફ મિલકતોના સંચાલન માટે દરેક રાજ્યમાં વકફ બોર્ડની રચના કરવામાં આવી છે. દેશમાં એક સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને 32 સ્ટેટ બોર્ડ છે. કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી સેન્ટ્રલ વક્ફ બોર્ડના હોદ્દેદાર અધ્યક્ષ છે.

દેશમાં વક્ફ બોર્ડ પાસે કેટલી જમીન છે?

આંકડા મુજબ દેશમાં વક્ફ બોર્ડ પાસે 8 લાખ એકરથી વધુ જમીન હોવાનું કહેવાય છે. વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે કે, દેશમાં વકફની 8 લાખ 72 હજાર 321 સ્થાવર અને 16 હજાર 713 જંગમ મિલકતો છે. આમાં પહેલું નામ ઉત્તર પ્રદેશનું છે. પશ્ચિમ બંગાળ બીજા સ્થાને અને પંજાબ ત્રીજા સ્થાને છે. સમય જતાં, છેલ્લા 15 વર્ષમાં સંપત્તિ બમણી થઈ ગઈ છે. સશસ્ત્ર દળો અને રેલવે પછી વકફ બોર્ડ પાસે દેશમાં સૌથી વધુ જિમીન સંપત્તિ છે.

કયા રાજ્યમાં કેટલી વકફ મિલકત છે?

  • આંદામાન અને નિકોબાર વક્ફ બોર્ડ- 151
  • આંધ્ર પ્રદેશ રાજ્ય વક્ફ બોર્ડ- 14685
  • આસામ બોર્ડ ઓફ વક્ફ- 2654
  • બિહાર રાજ્ય (શિયા) વક્ફ બોર્ડ- 1750
  • બિહાર રાજ્ય (સુન્ની) વક્ફ બોર્ડ- 6866
  • ચંદીગઢ વક્ફ બોર્ડ- 34
  • છત્તીસગઢ રાજ્ય વક્ફ બોર્ડ- 4230
  • દાદરા અને નગર હવેલી વક્ફ બોર્ડ- 30
  • દિલ્હી વક્ફ બોર્ડ- 1047
  • ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ- 39940
  • હરિયાણા વક્ફ બોર્ડ- 23267
  • હિમાચલ વક્ફ બોર્ડ- 5343
  • જમ્મુ અને કાશ્મીર ઓકફ બોર્ડ- 32533
  • ઝારખંડ રાજ્ય (સુન્ની) વક્ફ બોર્ડ- 698
  • કર્ણાટક સ્ટેટ બોર્ડ ઓફ ઓકફ- 62830
  • કેરળ રાજ્ય વક્ફ બોર્ડ- 53279
  • લક્ષદ્વીપ સ્ટેટ વક્ફ બોર્ડ- 896
  • મધ્ય પ્રદેશ વક્ફ બોર્ડ- 33472
  • મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ વક્ફ- 36701
  • મણિપુર રાજ્ય વક્ફ બોર્ડ- 987
  • મેઘાલય સ્ટેટ બોર્ડ ઓફ વક્ફ- 58
  • ઓડિશા બોર્ડ ઓફ વક્ફ- 10314
  • પુડુચેરી સ્ટેટ વક્ફ બોર્ડ- 693
  • પંજાબ વક્ફ બોર્ડ- 75965
  • રાજસ્થાન બોર્ડ ઓફ મુસ્લિમ વક્ફ- 30895
  • તમિલનાડુ વક્ફ બોર્ડ- 66092
  • તેલંગાણા રાજ્ય વક્ફ બોર્ડ- 45682
  • ત્રિપુરા બોર્ડ ઓફ વક્ફ- 2814
  • યુપી શિયા સેન્ટ્રલ બોર્ડ ઓફ વક્ફ- 15386
  • યુપી સુન્ની સેન્ટ્રલ બોર્ડ ઓફ વક્ફ- 217161
  • ઉત્તરાખંડ વક્ફ બોર્ડ- 5388
  • પશ્ચિમ બંગાળ વક્ફ બોર્ડ- 80480
  • કુલ- 8 લાખ 72 હજાર 321

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ