Ayodhya Ram Mandir Ramlalla Murti Photos Darshan : અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, તો રામલલ્લાની પ્રથમ તસવીરો સામે આવી છે, તો કરો ભગવાન રામની મૂર્તિના દિવ્ય દર્શન.
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. રામ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. તેમની મૂર્તિ પરથી કપડું હટાવી લેવામાં આવ્યું છે. તો જોઈએ રામલલ્લાની અદ્દભૂત મૂર્તિના સંપૂર્ણ દર્શન કરીએ.
મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની નવી 51 ઇંચની મૂર્તિને ગયા ગુરુવારે મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી. હાલમાં આ મૂર્તિને આંખે પટ્ટી બાંધવામાં આવી છે, જે આજે અભિષેક વિધિ બાદ ખુલ્લી મુકવામાં આવશે.
મૂર્તિમાં રામ ભગવાનની અનોખી આભાનો અનુભવ થાય છે. ભગવાન રામની આ મૂર્તિ બાળપણના સમયની છે. આ મૂર્તિની કોતરણી અત્યંત સુંદર અને આકર્ષક છે. શ્યામ વર્ણની રામજીની મૂર્તિ જોઈને દેશભરના તમામ લોકો ઉત્સાહિત થઈ ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ મૂર્તિનું 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
ભગવાન રામના મસ્તક પાસે સૂર્ય, સ્વસ્તિક, ઓમ, ગદા અને ચક્ર કોતરેલા છે. રામલલાની મૂર્તિમાં ભગવાન વિષ્ણુની સાથે તેમના 10 અવતાર મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ પણ જોવા મળશે.
મૂર્તિ ઘાટા રંગના કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે, એટલે કે તેમાં અન્ય કોઈ પથ્થર ઉમેરવામાં આવ્યા નથી. ભગવાનની આ મૂર્તિ વોટરપ્રૂફ છે. મતલબ કે મૂર્તિને પાણીથી નુકસાન નહીં થાય.
કાળા રંગથી બનેલી રામલલાની પ્રતિમાનું આયુષ્ય હજારો વર્ષ માનવામાં આવે છે કારણ કે કાળો પથ્થર વર્ષો સુધી સારી સ્થિતિમાં રહે છે. કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપની પ્રતિમા બનાવવામાં આવી છે.
પ્રતિમાને 4.24 ફૂટ ઉંચી બનાવવામાં આવી છે. રામલલાની મૂર્તિ 3 ફૂટ પહોળી છે, જેનું વજન આશરે 200 કિલો છે. રામલલાની મૂર્તિમાં પાંચ વર્ષના બાળકની મનમોહક ઝલક જોવા મળે છે, તેના ડાબા હાથમાં ધનુષ્ય અને બાણ છે અને જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં છે.
ઉલ્લેખનીય છે કે, રામલલ્લા રામ નિજ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. 22 જાન્યુઆરીએ શુભ સમય બપોરે 12.30 થી 1 વાગ્યા સુધીમાં તેમની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધી થયા બાદ રામલલાની મૂર્તિને અભિષેક કરવામાં આવ્યો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ, યુપી રાજ્યપાલ આનંદીબેન પટેલ, મોહન ભાગવત અને મંદિરના મુખ્ય પુજારીની એમ કુલ 5 લોકો ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચુકી છે, આવતીકાલ 23 જાન્યુઆરી 2024, મંગળવારના દિવસથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે.