રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટનશિપમાં કેવી રીતે અને કેમ મળી સંજીવની, ક્યારે લેવાનો નિર્ણય, વાંચો Inside Story

Rohit Sharma : દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત ચેમ્પિયન બન્યું તેના થોડા સમય બાદ જ રોહિત શર્માને ખાતરી આપવામાં આવી હતી કે તે જૂન-ઓગસ્ટમાં યોજાનારા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત્ રહેશે

Written by Ashish Goyal
March 15, 2025 15:41 IST
રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટનશિપમાં કેવી રીતે અને કેમ મળી સંજીવની, ક્યારે લેવાનો નિર્ણય, વાંચો Inside Story
ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા . (Pics : @GautamGambhir)

Rohit Sharma : દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત ચેમ્પિયન બન્યું તેના થોડા સમય બાદ જ રોહિત શર્માને ખાતરી આપવામાં આવી હતી કે તે જૂન-ઓગસ્ટમાં યોજાનારા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત્ રહેશે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર પરસેવાથી લથબથ ટીશર્ટ હજુ સુકાઈ ન હતી અને થોડા મહિનામાં બીજા આઇસીસી કપ જીતવાની લાગણી હજુ શાંત થઈ ન હતી, ત્યારે રોહિતને મહત્વપૂર્ણ વિશ્વાસ મત મળ્યો હતો.

આમ ભારતીય ક્રિકેટના નેતૃત્વ અંગેની તાજેતરની અટકળોનો અંત આવ્યો છે. જે એક મહિના પહેલા બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ચરમ પર હતી. આનાથી એ પણ સુનિશ્ચિત થયું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 કોઈ પણ વિવાદ વિના શાંતિથી પસાર થશે. સૌથી મોટો સવાલ એ છે કે ભારતના કેપ્ટન તરીકે રોહિત શર્માને રિટેન કરવાનો નિર્ણય ક્યારે લેવાયો?

રોહિત શર્મા પર કેમ વિશ્વાસ?

શું તે ત્યારે થયું જ્યારે રોહિત શર્મા પોતાના જૂના અંદાજમાં ડાઉન ધ ટ્રેડ આવીને ન્યૂઝીલેન્ડના બોલરોને મેદાનની બહફટકારી રહ્યો હતો? તેણે છેલ્લી બે આઈસીસી ટૂર્નામેન્ટમાં પણ આવું કર્યું હતું. કે આવું ત્યારે થયું જ્યારે તે તેના સ્પિનરોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યો હતો, જાળ પાથરી રહ્યો હતો, વિરોધી ટીમને ઘૂંટણિયે પડવાની ફરજ પાડતો હતો? આ બાબતથી પરિચિત લોકોનું કહેવું છે કે પાછળ વાળા કારણસર થયું છે.

ભારત પાસે ઓપનિંગ બેટિંગ માટે ઘણા વિકલ્પો

એવું એટલા માટે કારણ કે ભારત પાસે યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજુ સેમસન અને કેએલ રાહુલ જેવા ઓપનિંગ બેટિંગના ઘણા વિકલ્પો છે, પરંતુ કેપ્ટન રોહિત જેવી વ્યૂહાત્મક કુશળતા કોઈ પાસે નથી. તેની પાસે ધૈર્ય છે. આધુનિક સમયના ક્રિકેટ કેપ્ટનોમાં આ એક દુર્લભ ગુણ છે. ટેસ્ટ ક્રિકેટમાં મુશ્કેલ સમયમાં વેઇટિંગ ગેમ રમવાની કળા હોય છે.

કેવો કેપ્ટન જોઈએ

ઈંગ્લેન્ડમાં કેપ્ટનોએ મક્કમ રહેવાની જરુર છે. કેપ્ટને એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે પ્રબળ-વિશ્વાસુ હોય, જે પોતાના ખેલાડીઓનો ત્યારે બધુ જ આપવા મનાવી લે જ્યારે કશું પણ તેમના પક્ષમાં ચાલતું ન હોય. લોકપ્રિય માન્યતાથી વિપરીત ઈંગ્લેન્ડમાં માત્ર સ્વિંગ બોલિંગ જ નથી થતી, જેમાં ઘણી બધી વિકેટો પડી રહી છે. અહીં બેટ્સમેનો પ્રારંભિક મુશ્કેલ સ્પેલનો સામનો કર્યા પછી લાંબી ભાગીદારી બનાવે છે.

મુશ્કેલ સમયમાં શ્રેષ્ઠ ખેલાડીઓ પણ નિષ્ફળ

શ્રેષ્ઠ ખેલાડીઓ પણ મુશ્કેલ સમયમાં નિષ્ફળ ગયા છે. તેણે હાર માની લીધી અને તેની કિંમત ચૂકાવી. વ્હાઈટ બોલ ક્રિકેટમાં લેજન્ડરી કેપ્ટન એમએસ ધોની ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં અવારનવાર લાચાર જોવા મળતો હતો. ઈંગ્લેન્ડમાં તેની કેપ્ટન્સીમાં ભારતને 15માંથી 13 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડયો હતો.

ઇંગ્લેન્ડમાં પણ વધુ પડતી આક્રમકતા કામ કરતી નથી

2011ની શ્રેણીમાં ભારત ચારેય ટેસ્ટ હાર્યું હતું. આ દરમિયાન ટીમના એક અધિકારીએ જણાવ્યું કે ટીમ બેટિંગ કરતી હતી ત્યારે ધોની ઝોકું ખાઈ લેતો હતો. મેદાન પર પણ જ્યારે ટેસ્ટ તેના હાથમાંથી સરકવા લાગી ત્યારે તે ખાસ કમાલ કરી શક્યો ન હતો. વધુ પડતી આક્રમકતા પણ ઇંગ્લેન્ડમાં કામ કરતી નથી. કોહલીની આગેવાનીમાં ભારતને 2018માં 1-4થી હારનો સામનો કરવો પડયો. જોકે ઓછા આક્રમક અભિગમને કારણે કોહલીએ 2-1થી સરસાઈ મેળવી લીધી હતી, પણ ઈંગ્લેન્ડે એક વર્ષ બાદ સ્થગિત થયેલી ટેસ્ટમાં વિજય મેળવતા શ્રેણીની બરોબરી કરી લીધી હતી, જ્યારે કેપ્ટન રોહિત હતો. જોકે, તે મેચમાં જસપ્રીત બુમરાહે બાજી સંભાળી હતી.

ભારતીય ટીમે 2007માં ઇંગ્લેન્ડમાં શ્રેણી જીતી હતી

ભારતીય ટીમે છેલ્લે 2007માં ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતી હતી. રાહુલ દ્રવિડ કેપ્ટન હતા. ધ વોલ નામના ક્રિકેટરની દ્રઢતા વિશે કંઇ કહેવાની જરૂર નથી. આ એ જ ટીમ હતી જેમાં ભારતના દિગ્ગજ ટેસ્ટ ખેલાડીઓ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ અને ઝહીર ખાન હતા. બાદમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં જીતી ગઇ હતી, પરંતુ ઇંગ્લેન્ડ દોઢ દાયકાથી વધુ સમય સુધી અજેય રહ્યું હતું. રોહિત પાસે પણ ટેસ્ટના પ્રોફેશનલ ખેલાડીઓ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ છે.

રોહિત દ્રવિડ કરતા સારો મેન મેનેજર

દ્રવિડની જેમ રોહિત પણ જ્યારે કેપ્ટનશીપ કરે છે ત્યારે તેના ચહેરા પર ચિંતાની લાગણી જોવા મળે છે. તેઓ એક મુશ્કેલીમાં મુકાયેલા પરિવારના વડા જેવા પણ દેખાય છે. રોહિત દ્રવિડ કરતા વધુ સારો મેન મેનેજર છે. ઈંગ્લેન્ડ હજુ પણ ભારતમાં 2024માં મળેલી હારના આઘાતમાંથી બહાર આવ્યું નથી. તે ટેસ્ટમાં બેઝબોલ રમે કે નહીં તે અંગે મૂંઝવણમાં છે. આવી સ્થિતિમાં ભારત પાસે લીડ હોવાની અપેક્ષા રાખી શકાય છે.

બુમરાહ બેટ્સમેનના મનને વાંચી લે છે

બુમરાહ ખૂબ જ સારો કેપ્ટન્સી વિકલ્પ છે. તેના પર્ફોમન્સના આધારે તે એક સક્ષમ કેપ્ટન છે, જે કેપ્ટન તરીકેનું ઉદાહરણ પૂરું પાડે છે. બુમરાહ એક વિચારશીલ ખેલાડી છે. તેઓ બેટ્સમેનનું મન વાંચે છે. તેના શોટ્સનો અંદાજ લગાવવો તેનો બીજો સ્વભાવ બની ગયો છે.

બુમરાહનો સમય પણ આવશે

રોહિતને એક્સટેન્શન મળ્યું હોવાથી બુમરાહનો સમય પણ આવશે. રોહિતે મેદાન પર વધુ સમય પસાર કર્યો છે, ઘણી વખત ટીમોને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. છ વખત આઇપીએલ જીતવી, બેઝબોલને ધૂળ ચટાડવી અને બે આઈસીસી ટાઇટલ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં બે હરા પછી પણ હજુ પણ કેપ્ટન તરીકે ટકી રહેવા માટે આ પ્રકારની ઓળખની જરુર છે.

IPLમાં રોહિત પર નહીં હોય ખાસ દબાણ

ટીમ ઈન્ડિયાના દબાણની સરખામણીએ રોહિત પર આઇપીએલમાં વધુ દબાણ નહી રહે. મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પર દબાણ રહેશે. 2024ના ભૂલી જવાય તેવા પ્રદર્શન બાદ તેમણે પોતાની જાતને સાબિત કરવાની જરુર છે. આ દરમિયાન રોહિતે પોતાની લય પાછી મેળવી લીધી છે. તે ફરીથી લાઇનની અંદર આવી રહ્યો છે અને પેસરોને સ્ક્વેર લેગ બાઉન્ડ્રી પર ફ્લિક કરી રહ્યો છે. તે વિકેટ નીચે આવી રહ્યો છે અને મિડ-વિકેટ પર વધુ સારા શોટ રમી રહ્યો છે.

રોહિતને બેફ્રિક થવાની જરૂર

રોહિત પાસે ફરીથી તે જ બેફ્રિક બાળક બનવાની તક છે, જેમ કે તે ડેક્કન ચાર્જર્સ માટે હતો. આ એક નાનો તબક્કો છે, જેમાં તમારે તમારી આસપાસના લોકો વિશે વિચારવાની જરૂર નથી. જ્યારે તે ટકી રહે છે ત્યારે તેઓએ તેનો આનંદ માણવાની જરૂર છે, કારણ કે ઇંગ્લેન્ડમાં તેઓએ ફરીથી પરિવારના વડા અને તેમની ટીમના લાભદાયક નિર્ણય લેવાનું ભારણ આવશે.

(અહેવાલ – સંદીપ દ્વિવેદી)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ