Smriti Mandhana: સ્મૃતિ મંધાના એ પલાશ મુછલ સાથેના લગ્ન સ્થગિત કરવાની પોસ્ટ ડિલીટ કરી, બહેન પલક મુછલે કહી આ વાત

Smriti Mandhana Delete Wedding Posts : પલાશ મુછલ અને સ્મૃતિ મંધાનાના લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા. પરંતુ પલાશ મુછલના પિતાની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે પલાશ મુછલના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા.

Written by Ajay Saroya
Updated : November 25, 2025 16:49 IST
Smriti Mandhana: સ્મૃતિ મંધાના એ પલાશ મુછલ સાથેના લગ્ન સ્થગિત કરવાની પોસ્ટ ડિલીટ કરી, બહેન પલક મુછલે કહી આ વાત
Smriti Mandhana Palash Muchhal Wedding Posts : સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના 23 નવેમ્બરે લગ્ન થવાના હતા, જો કે તે સ્થગિત રહ્યા છે. (Photo - Instagram)

Smriti Mandhana Deleted Marriage Posts AS Palash Muchhal Wedding : સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ વચ્ચે અણબનાવ હોવાના અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, ત્યારબાદ ગાયક પલક મુછલે જાહેરમાં તેમનો બચાવ કર્યો છે. ભારતીય સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી મંગેતર પલાશ મુછલ સાથેની તેની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તમામ તસવીરો અને વીડિયો ડિલીટ કરી દીધા છે. સમાચાર આવ્યા છે કે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત અચાનક બગડી ગઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પરંતુ સ્મૃતિની પોસ્ટ્સ ડિલીટ થવાને કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે પલાશ મુછલે સ્મૃતિ સાથે ચીટીંગ કરી છે. જ્યારે અણબનાવની અટકળો વધી ગઇ ત્યારે સિંગર પલાશ મુછલની બહેન પલક મુછલે જાહેરમાં તેનો બચાવ કર્યો હતો.

સ્મૃતિ મંધાના એ ઇન્સ્ટાગ્રામ પરથી લગ્નની પોસ્ટ ડિલીટ કરી

સ્મૃતિ મંધાના 23 નવેમ્બરના રોજ તેના વતન સાંગલીમાં પલાશ મુછલ સાથે લગ્ન કરવાની હતી, પરંતુ તેના પિતાને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી, સમાચાર બાદ લગ્ન રદ કરવામાં આવ્યા હતા અને સ્મૃતિ મંધાના એ પલાશ મુછલ સાથેના લગ્નની તમામ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. જો કે, તેણે પલાશ સાથેના જૂના ફોટા હટાવ્યા નથી, જેમાં એક સુંદર ફોટો પણ છે, જેમાં સ્મૃતિ મંધાના એ પલાશ સાથેની તસવીર શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બંને અને તેમના પરિવારોએ હળદર અને મહેંદી સમારોહ જેવી વિધિઓ ઉજવી હતી. મ્યુઝિક સેલિબ્રેશનમાં પરફોર્મ કરતા તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે, હવે આ તમામ પોસ્ટ્સ સ્મૃતિના ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવામાં આવી છે.

પલાશે સ્મૃતિ સાથે પોતાની જૂની પોસ્ટ પણ રાખી છે, પરંતુ લગ્નની ઉજવણીની કોઈ પણ પોસ્ટ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર દેખાતી નથી.

જ્યારે ટ્રોલર્સે તેને ટાર્ગેટ કર્યો ત્યારે પલક મુછલે ભાઈનો બચાવ કર્યો હતો. પલાશની બહેન પલક મુછલ તેના ભાઈના સમર્થનમાં બહાર આવી છે અને સ્પષ્ટ સંદેશ સાથે તમામ અફવાઓને ફગાવી દીધી છે. તેમણે લખ્યું, “સ્મૃતિ મંધાનાના પિતાની તબિયતને કારણે, સ્મૃતિ અને પલાશના લગ્ન અટકાવી દેવામાં આવ્યા છે. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ સંવેદનશીલ સમયમાં બંને પરિવારોની ગોપનીયતાનું સન્માન કરો. ”

પલાશે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો

શ્રીનિવાસ મંધાનાને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પલાશ મુછલને પણ સાંગલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, બાદમાં તેને રજા આપવામાં આવી હતી, ત્યારબાદ તે મુંબઈ આવી ગયો હતો. આ અંગે વાત કરતા તેમની માતા અમિતા મુછલે દાવો કર્યો હતો કે સંગીતકાર શ્રીનિવાસની ખરાબ તબિયતથી દુ:ખી હતા અને ખૂબ રડવાને કારણે તેમની તબિયત બગડી હતી.

“તે એટલો રડ્યો કે અચાનક તેની તબિયત બગડી ગઈ. તેમને ચાર કલાક સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. તેને આઈવી ડ્રિપ આપવામાં આવી હતી, ઇસીજી કરવામાં આવ્યું હતું અને અન્ય મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બધું નોર્મલ છે, પરંતુ તે ખૂબ જ તણાવમાં છે. ”

તેમણે એવો દાવો પણ કર્યો હતો કે લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય પલાશ મુછલે લીધો હતો. “જ્યારે તેઓ બીમાર પડ્યા, ત્યારે પલાશે જ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી લગ્નની વિધિ નહીં કરે. ”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ