Apr 22, 2025

અથાણું બારેમાસ સાચવવાની 7 રીત, ક્યારેય બગડશે નહીં

Ajay Saroya

અથાણું સાચવવાની રીત

અથાણાં સ્વાદિષ્ટ વાનગી છે. ઉનાળામાં કેરીના અથાણાં બને છે અને આખું વર્ષ ખાવામાં આવે છે. જો કે આખું વર્ષ અથાણાં સાચવવા બહુ મુશ્કેલ છે. ખાસ કરીને ચોમસાના વરસાદમાં અથાણાં ફુગ આવે છે અને ફેંકી દેવા પડે છે. જેના કારણે અથાણા બનાવવાના પૈસા અને મહેનત બંને બેકાર જાય છે.

Source: social-media

હવા ચુસ્ત બરણી

અથાણું ભરવા માટે હંમેશા હવાચુસ્ત બરણીનો ઉપયોગ કરવો. કાચની બરણી કે ચિનાઇ માટીની બરણી અથાણાં ભરવા માટે શ્રેષ્ઠ હોય છે. હવાચુસ્ત બરણીમાં અથાણાં રાખવાથી ભેજ લાગતો નથી અને આખું વર્ષ સુરક્ષિત રહે છે. અથાણાંની બરણી ઉપર કપડું બાંધીને રાખો.

Source: social-media

મીઠાનો પુરતો ઉપયોગ

મીઠું ખાવાની ચીજો સુરક્ષિત રાખવામાં એક પઝર્વેટીવ તરીકે કામ કરે છે અને ફુગ થતા અટકાવે છે. આથી અથાણાંમાં મીઠું પરતા પ્રમાણમાં છે કે તે ચકાસી લો. પુરતા પ્રમાણમાં મીઠુંના વપરાશથી અથાણું સ્વાદિષ્ટ લાગશે અને લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે.

Source: social-media

અથાણાંમાં તેલનું પ્રમાણ

અથાણામાં તેલ પુરતા પ્રમાણમાં રાખવા લાંબા સુધી સમય સુધી રાખી શકાય છે. અથાણું બનાવવા માટે સરસવ તેલ કે સિંગતેલનો ઉપયોગ કરવો જોઇએ.

Source: social-media

ભેજ વાળી જગ્યા પર ન રાખો

અથાણું બરણીમાં ભર્યા બાદ તેને ઠંડી અને શુષ્ક જગ્યા પર રાખો. ભેજ વાળી જગ્યા પર રાખવાથી ફુગ લાગી શકે છે. ઉપરાંત સીધો તડકો અથાણાં પર ન પડે તેનું ધ્યાન રાખો. ઠંડા વાતાવરણમાં અથાણું રાખવાથી સ્વાદ અને ગુણવત્તા જળવાઇ રહે છે.

Source: social-media

અથાણું ચેક કરતા રહેવું

અથાણું બરણીમાં ભર્યા બાદ દર 10 કે 15 દિવસે એક વાર ચેક કરતા રહેવું જોઇએ. અથાણાં ફુગ લાગી છે કે નહીં તે ચકાસવું. જો અથાણામાં ફુગ દેખાય તો તરત જ તે દૂર કરવી. જો અથાણા માંથી વાસ આવે તો ખાવાનું ટાળવું.

Source: social-media

અથાણું હંમેશા ચમચ વડે કાઢવું

અથાણું હલાવતી કે બરણી માંથી કાઢવા માટે હંમેશા સ્ટીલ કે પ્લાસ્ટિકના ચમચાનો ઉપયોગ કરવો. અથાણું હલાવવા કે કાઢવા માટે ક્યારે હાથ કે આંગળી ડબોડવા નહીં, તેનાથી અથાણાં બેકટેરિયા લાગી શકે છે.

Source: social-media

Source: social-media