કેળાની છાલમાં અનેક ગુણો જોવા મળે છે. પોટેશિયમ દાંતની પીળાશ દૂર કરવામાં મદદરૂપ છે.
કેળાની છાલમાંમાં મેગ્નેશિયમ અને મેંગેનીઝ પણ હોય છે. એની છાલમાં બ્રોમેલેન એન્ઝાઇમ પણ જોવા મળે છે, જે દાંતને સફેદ કરવા માટેનો કુદરતી ઉપાય છે.
કેળાની છાલ પર ખાવાનો સોડા લગાવીને દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. આ માટે આ મિશ્રણને દાંત પર લગાવો અને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દો. પછી સ્વચ્છ પાણીથી મોં ધોઈ લો.
કેળાની છાલમાં જોવા મળતા મિનરલ્સ દાંતની પીળાશને દૂર કરી શકે છે, જ્યારે બેકિંગ સોડા સ્ક્રબની જેમ કામ કરે છે. અઠવાડિયામાં બે વાર આ ઉપાયો કરવાથી દાંત ચમકદાર બને છે.
દાંતની નિયમિત સફાઈ કરવી જોઈએ. દરરોજ સવારે અને રાત્રે બે વાર બ્રશ કરવું જોઈએ. વધુ પડતા કેફીન અને નિકોટીનનું સેવન ન કરવું જોઈએ. તમારે દંત ચિકિત્સક દ્વારા સમયાંતરે તમારા દાંતની તપાસ કરાવવી જોઈએ.