Feb 20, 2025

માટીના વાસણમાં બનાવો રસોઈ, થશે આ ફાયદા

Rakesh Parmar

માટીના વાસણ

પહેલાના જમાનામાં લોકો માટીના વાસણમાં ખાવાનું બનાવતા હતા. હવે લોકો સ્ટીલ, પીત્તળ, ચીનાઈ માટીના વાસણમાં ખાવાનું બનાવે છે.

Source: freepik

સ્વાદ અને સ્વાસ્થ્ય

માટીના વાસણમાં લોકો સ્વાદ માટે ખાવાનું ખાતા ન હતા પરંતુ આથી લોકો સ્વસ્થ પણ રહેતા હતા.

Source: freepik

શું ફાયદા થાય છે

હવે કેટલાક લોકો ફરીથી માટીના વાસણમાં રસોઈ બનાવવાનું અને ખાવાનું શરૂ કરી દીધુ છે. ચલો આ વાસણોમાં ભોજન કરવાના ફાયદઓ વિશે જણાવીએ.

Source: freepik

ટેસ્ટી ફૂડ

ઘણા પ્રકારના આહારને પકાવવા માટે આજે પણ લોકો માટીની હાંડીનો ઉપયોગ કરે છે. આમાં ખાવાનું ધીરે બને છે પરંતુ સ્વાદિષ્ટ બને છે.

Source: freepik

pH બેલેન્સ

માટીમાં ક્ષારીય ગુણ હોય છે, જે ખાવાના એસિડ સાથે રિએક્ટ કરે છે. આથી ખાવાનું પીએસ બેલેન્સ થઈ જાય છે અને સ્વાદ વધી જાય છે.

Source: freepik

ઓછા તેલમાં ભોજન

વધારે તેલ સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક છે. માટીના વાસણમાં જમવાનું પકાવવાથી ઓછું તેલ વપરાય છે. આવામાં તમે વધારે તેલવાળું ખાવાથી બચશો.

Source: freepik

હૃદય માટે ફાયદાકારક

માટીના વાસણમાં બનેલું ભોજન હૃદય માટે ફાયદાકારક હોય છે. હાર્ટના પેશન્ટે માટીના વાસણમાં ખાવાનું ખાવું જોઈએ.

Source: freepik

પોષક તત્ત્વ

એવું માનવામાં આવે છે કે, માટીના વાસણમાં ભોજન પકાવીને ખાવાથી આહારના નેચરલ તત્વો મળે છે. સ્ટીલના વાસણમાં બનેલા ભોજનમાં તત્ત્વ રહેતા નથી.

Source: freepik

ગરમ ખાવા

માટીના વાસણમાં બનેલું ભોજન લાંબા સમય સુધી ગરમ રહે છે. આવામાં તમારે તેને વારંવાર ગરમ કરવાનું રહેશે નહીં. ભોજનને વારંવાર ગરમ કરવાથી તેનો ટેસ્ટ જતો રહે છે.

Source: freepik

નોટ

આ ખબર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ પ્રકારની વિશેષ જાણકારી માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞો પાસેથી યોગ્ય સલાહ લેવી.

Source: freepik

Source: freepik