Jul 25, 2025
ઇસબગુલમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે અને ગેસ, એસિડિટી અને કબજિયાત દૂર કરે છે.
જે લોકો દરરોજ સવારે કે રાત્રે પેટ સાફ ન હોવાની ફરિયાદ કરે છે તેમના માટે ઇસબગુલ એક રામબાણ ઈલાજ છે. તે મળને નરમ પાડે છે અને આંતરડા સાફ કરે છે.
ઇસબગુલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ભોજન પછી બ્લડ સુગરમાં અચાનક વધારો અટકાવે છે .
જમતા પહેલા ઇસબગોલ લેવાથી પેટ ભરેલું લાગે છે , જેનાથી તમે ઓછું ખાઓ છો અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
ગ્લાસ નવશેકા પાણી કે દૂધમાં ૧ ચમચી ઇસબગુલ મિક્સ કરો, તમે ભોજન પહેલાં અથવા સૂવાના સમય પહેલાં 30 મિનિટ લો.
પાણીમાં ઇસબગુલ ઘટ્ટ થાય એટલે તરત જ પી લો, જો તમે ઈચ્છો તો, તમે સ્વાદ માટે થોડું મધ અથવા લીંબુ પણ ઉમેરી શકો છો.
તેનું વધુ માત્રામાં સેવન ન કરો. દરરોજ ફક્ત 1 થી 2 ચમચી લો, પાણીની માત્રા વધારો નહીંતર કબજિયાત થઈ શકે છે, કોઈપણ દવા સાથે ઇસબગુલ લેતા પહેલા, ડૉક્ટરની સલાહ લો.