ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.
ફંક્શનલ ન્યુટ્રિશનિસ્ટ મુગ્ધા પ્રધાન, CEO અને સ્થાપક, iThrive એ જણાવ્યું હતું કે વધતા તાપમાનને કારણે સુસ્તી અનુભવવી અને ગરમીથી કંટાળો ખુબજ આવે છે.
છબી: કેનવા
પરંતુ તરબૂચના રસના પીવાથી, તમે સમગ્ર ઉનાળામાં ફ્રેશ અને એકટીવ રહી શકો છો.
છબી: કેનવા
એક્સપર્ટે ઉનાળાના પીણાના કેટલાક લાભો શેર કરતા કહ્યું હતું કે, "આ સ્વસ્થ અને સ્વાદિષ્ટ પીણું મહત્વપૂર્ણ પોષક તત્ત્વો અને એન્ટીઑકિસડન્ટોથી ભરેલું છે.
છબી: કેનવા
હાઇડ્રેશનતાજા તરબૂચના રસમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તે શરીરને ઠંડકની અસર પ્રદાન કરે છે, જે તમને ગરમીમાં પણ હાઇડ્રેટેડ અને રિલેક્સ રાખે છે.
છબી: કેનવા
વજન ઘટાડવામાં મદદ કરે છે: તરબૂચનો રસ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં લગભગ 90% પાણી હોય છે. તે આર્જિનિનનો સ્ત્રોત પણ છે, જે અનિચ્છનીય ચરબીને બાળવામાં મદદ કરે છે.
છબી: કેનવા
બળતરા સામે લડે છે : તરબૂચમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે શરીરમાં બળતરા સામે લડવામાં મદદ કરે છે, તમને સ્વસ્થ અને ફ્રેશ રાખે છે.