શરદી ઉધરસ મટાડવાના 7 ઘરગથ્થુ ઉપચાર

Feb 18, 2025, 02:57 PM

શરદી ઉધરસ મટાડવાના ઉપચાર

શરદી ઉધરસ જોવામાં સામાન્ય બીમારી છે પરંતુ વ્યક્તિને બહુ પરેશાન કરે છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં એટલે કે બેવડી સીઝનમાં શરદી ઉધરસની સમસ્યા વધી જાય છે. અહીં શરદી ઉધરસ મટાડવાના 7 ઘરગથ્થુ ઉપાય આપ્યા છે.

શરદી ઉધરસના ઘરગથ્થુ ઉપચાર

રાત્રે થોડાક શેકેલો ચણા ખાઈ ખાવાથી શરદી ઉધરસ મટે છે. જો કે ચણા ખાધા વગર રાત્રે પાણી પીવું નહીં.

શરદી ઉધરસના ઘરગથ્થુ ઉપચાર

અરડૂસી પાનના રસ સાથે મધનું સેવન કરવાથી શરદી ઉધરસ મટે છે.

શરદી ઉધરસના ઘરગથ્થુ ઉપચાર

અરડૂસીના પાન અને આદુ અને તુલસીના પાનનો ઉકાળો બનાવી પીવાથી પણ શરદી ઉધરસમાં રાહત મળે છે.

શરદી ઉધરસના ઘરગથ્થુ ઉપચાર

રાત્રે હળદર વાળુ દૂધ પીવાથી શરદી ઉધરસ મટે છે. હળદર વાળુ દૂધ પીધા બાદ રાત્રે પાણી પીવું નહીં.

શરદી ઉધરસના આયુર્વેદિક ઉપચાર

આદુના રસમાં મધ નાંખી સેવન કરવાથી પણ શરદી ઉધરસ મટે છે. આદુનો ટુકડો પણ મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ બંધ થાય છે.

શરદી ઉધરસના આયુર્વેદિક ઉપચાર

લવિંગ મોંમાં રાખી ચૂસવાથી શરદી ઉધરસ મટે છે.

શરદી ઉધરસના આયુર્વેદિક ઉપચાર

મરી પાઉડર મધ સાથે લેવાથી પણ ઉધરસ મટે છે. મરી સૂકી ખાંસીમાં ખૂબ રાહત થાય છે અને અવાજ ખૂલે છે.