પંજાબી શેફ સંજ્યોત કીરએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શરદી ખાંસી માટે ઘરેલુ ઉપાય આપ્યો છે, તેણે દાવો કર્યો હતો કે આ દાદીમા નો નુસખો લીકવીડ લાડુથી શરદી ખાંસીથી છુટકારો મળશે.
એક કપ બદામ, 1 ચમચી ઘી, 1 ચમચી ચણાનો લોટ, 2 કપ દૂધ, એક ચપટી હળદર પાઉડર
એક ચપટી કાળા મરી પાવડર, એક ચપટી ઈલાયચી પાવડર, એક ચપટી આદુ પાવડર, થોડા તાંતણા કેસર, સ્વાદ મુજબ ગોળ પાઉડર
સૌ પ્રથમ 1 કપ બદામને અધકચરી ક્રશ કરો.ધીમા તાપે એક નાની તપેલી મૂકો, તેમાં ઘી ઉમેરો. ચણાનો લોટ ઉમેરો ધીમે ધીમે શેકો.
ચણાનો લોટને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી બિસ્કિટ જેવું અને સુગંધિત બેટર ન થાય, હવે એમાં ધીમે ધીમે દૂધ ઉમેરો.
એક ચપટી હળદર, કાળા મરી, એલચી પાવડર, આદુ પાવડર અને જો તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો તો થોડા તાંતણા કેસર ઉમેરો.
સારી રીતે હલાવો અને તેને હળવેથી ઉકાળો. સારી રીતે ઉકલે એટલે સ્વાદ મુજબ ગોળ પાવડર ઉમેરો. ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
લીકવીડ લાડુ થઇ જાય એટલે ગરમ ગરમ પીરસો,બદામથી સજાવો અને સર્વ કરો.