કબજિયાત ત્યારે થાય છે જ્યારે તમારી આંતરડાની ગતિ ઓછી થઈ જાય છે અને મળત્યાગ કરવામાં મુશ્કેલી પડે છે. તેનું કારણ ફાઇબરનો અભાવ, પાણીની ઉણપ, પોષણનો અભાવ છે
આ રોટલી બનાવવા માટે, તમારે ઘઉંના લોટના બાઉલમાં 1-2 ચમચી અળસીના બીજનો પાવડર ભેળવવાનો છે.
ત્યારાબાદ જરૂર મુજબ પાણી ઉમેરો અને લોટ ભેળવો. આ લોટમાંથી રોટલી બનાવો અને તાજી ગરમ રોટલી ખાઓ. તમે તેમાં બ્લેક સોલ્ટ પણ વાપરી શકો છો.
અળસીમાં ફાઇબર, ઓમેગા-૩ ફેટી એસિડ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
અળસી માત્ર કબજિયાતથી રાહત આપે છે પણ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. કારણ કે અળસીમાં સારી માત્રામાં ફાઇબર હોય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ રોટલીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો, જો તમે ગર્ભવતી હો, તો આ રોટલી ખાતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.