રોટલી બનાવતા પહેલા લોટમાં આ વસ્તુ ઉમેરો, કબજિયાતમાં થશે રાહત

Jun 10, 2025, 02:27 PM

આજના સમયમાં લોકો પેટની સમસ્યાઓથી સૌથી વધુ પરેશાન છે. ખાસ કરીને કબજિયાત અને પેટમાં દુખાવાની સમસ્યા ખૂબ જ પરેશાન કરે છે.

કબજિયાત થવાના કારણો

કબજિયાત ત્યારે થાય છે જ્યારે તમારી આંતરડાની ગતિ ઓછી થઈ જાય છે અને મળત્યાગ કરવામાં મુશ્કેલી પડે છે. તેનું કારણ ફાઇબરનો અભાવ, પાણીની ઉણપ, પોષણનો અભાવ છે

કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હો, તો રોટલી બનાવતા પહેલા લોટમાં આ વસ્તુ ભેળવી દો જે કબજિયાતથી બચાવવામાં મદદ કરી શકે છે,

કબજિયાત માટે અળસી

આ રોટલી બનાવવા માટે, તમારે ઘઉંના લોટના બાઉલમાં 1-2 ચમચી અળસીના બીજનો પાવડર ભેળવવાનો છે.

કબજિયાત માટે અળસી

ત્યારાબાદ જરૂર મુજબ પાણી ઉમેરો અને લોટ ભેળવો. આ લોટમાંથી રોટલી બનાવો અને તાજી ગરમ રોટલી ખાઓ. તમે તેમાં બ્લેક સોલ્ટ પણ વાપરી શકો છો.

અળસી ખાવાના ફાયદા

અળસીમાં ફાઇબર, ઓમેગા-૩ ફેટી એસિડ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

અળસી ખાવાના ફાયદા

અળસી માત્ર કબજિયાતથી રાહત આપે છે પણ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. કારણ કે અળસીમાં સારી માત્રામાં ફાઇબર હોય છે.

અળસી ખાવાના ફાયદા

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ રોટલીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો, જો તમે ગર્ભવતી હો, તો આ રોટલી ખાતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.

મોઢામાં ચાંદા પડવાનું કારણ માત્ર પાચન સમસ્યા નથી, આ પણ હોઈ શકે કારણો