ચોમાસું બરાબર જામ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે.
વરસાદની સિઝનમાં ઠંડા મોસમમાં દાળવડા ખાવાની મજા આવી જાય છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છે.
ચણાની દાળ, સમારેલી ડુંગળી, તેલ, બારીક સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાના પાન, બારીક સમારેલી કોથમીર, મીઠું, પાણી, આદુ, બેકિંગ સોડા, અજમો.
દાળવડા બનાવવા માટે સૌપ્રથમ ચણાની દાળ ને 3 પાણીમાં સારી રીતે ધોઈ લો. પછી તેમાં પાણી નાખીને 4-5 કલાક પલળવા દો.
ત્યારબાદ ચણાની દાળમાંથી પાણી કાઢી લો. આ પછી દાળને ગ્રાઈન્ડરમાં લીલા મરચાં, આદું, હળદર અને જરૂર મુજબ પાણી ઉમેરીને પીસી લો.
બહુ ઝીણું નહીં પણ દરદરું પીસવાનું છે. હવે તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં અજમો, મરી અને ચપટી બેકિંગ સોડા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. દાળવડા બનાવવા માટે આપણું ખીરું તૈયાર છે.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ગેસ ની ફ્લેમ મીડીયમ રાખો. હવે તેલમાં ધીમે ધીમે વડા તડો. વડા ને ધીમે ધીમે ફેરવી ને ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લો.
આ પછી આપણા ગરમાગરમ દાળવડા તૈયાર છે. તેને તળેલા લીલા મરચા, ડુંગળી કે ચા સાથે મોજથી ખાઇ શકો છો.