Oct 13, 2025
દિવાળીના તહેવારમાં ઘરે વિવિધ મીઠાઇ, ફરસાણ બનાવવામાં આવે છે. જો તમે મીઠાઇ બનાવવવાનું વિચારી રહ્યા છો તો ઘુઘરા ઉત્તમ વિકલ્પ છે.
ઘુઘરા ભારતની પ્રખ્યાત મીઠાઇ છે. ઘુઘરા વિવિધ પ્રકારના બને છે, જેમા સોજીના ઘુઘરા, માવાના ઘુઘરા, તીખા ઘુઘરા બનાવી શકાય છે. અહીં મીઠા ઘુઘરા બનાવવાની સરળ રીત જણાવી છે.
મેંદો, સોજી, ઘી, ખાંડ બુરુ, એલચી પાઉડ, ડ્રાયફુટ્સ, કોપરાની છીણ
સૌથી પહેલા ઘુઘરામાં સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરો. ગેસ ચાલુ કરી એક કઢાઇમાં ઘી ગરમ કરો.
હવે ઘીમાં સોજી શેકો. ગેસ પર મીડિયમ તાપે સોજી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી. સોજી શેકાય ગયા બાદ તેને ઠંડી થવા દો. ત્યાર પછી ખાંડ બુરુ, એલચી પાઉડર, કોપરાની છીણ અને ડ્રાયફુટ્સના ટુકડા ઉમેરો.
એક મોટા વાસણમાં મેંદાનો લોટ લો. લોટ બાંધવાની પહેલા લોટ ચાળી લો. પછી ગરમ ઘીનું મોણ ઉમેરો. હવે તેમા પાણી ઉમેરી નરમ લોટ બાંધો. લોટ બાંધ્યા બાદ તેને 10 થી 15 મિનિટ રાખી મૂકો.
હવે મેંદાના લોટ માંથી મધ્યમ કદની ગોળ પુરી બનાવો.
ગોળ પુરીની વચ્ચે સોજીના માવાનું સ્ટફિંગ કરો. પછી પુરીને વચ્ચેથી વાળી લો. બજારમાં ઘુઘરા બનાવવાના બીબાં મળે છે. તેના વડે સરળતાથી ઘુઘરા બનાવી શકાય છે. ઘુઘરા બનાવતી વખતે તેને કપડાથી ઢાંકી રાખો.
એક કઢાઇમાં ઘી ગરમ કરો, પછી મધ્યમ તાપે ઘુઘરા તળો. ઘુઘરા સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. ઘુઘરાને તળ્યા બાદ હવાચુસ્ત ડબામાં ભરીને રાખી મૂકો.
દિવાળીમાં મહેમાનોનું ઘુઘરા વડે મોં મીઠું કરાવો. આ રીતે ઘરે બનાવેલા ઘુઘરા 8 થી 10 દિવસ સુધી ફ્રેશ રહે છે.