Oct 01, 2025

Dussehra 2025 । દશેરા સ્પેશિયલ ખાંડ વગરની સ્વસ્થ ખીર

Shivani Chauhan

હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે આસો સુદ દશમના દિવસે ઉજવવામાં આવે છે. દશેરાને અધર્મ પર ધર્મની જીત તરીકે ઉજવવામાં આવે છે.

Source: freepik

દશેરા આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે, આ દિવસે ફાફડા જલેબી ખાવાનું મહત્વ છે, પરંતુ તમારે હેલ્ધી અને ટેસ્ટી કંઈક ખાવું હોઈ તો ખીર ટ્રાય કરી શકો છો.

Source: social-media

ખાંડ વગર બનાવામાં આવતી આ ખીર ડાયાબિટીસ ધરાવતા લોકો, વજન ઘટાડતા લોકો માટે પરફેક્ટ હેલ્ધી ઓપ્શન છે જે બધાને ભાવશે, અહીં જાણો હેલ્ધી ખીર રેસીપી

Source: freepik

સામગ્રી

1/2 કપ કાજુ, 1 કપ મખાના, 1/2 કપ ચોખા, 3 કપ દૂધ દૂધ, 1/2 ચમચી ઈલાયચી પાવડર, ગોળ તમારા ટેસ્ટ મુજબ

Source: freepik

ખીર રેસીપી

સૌ પ્રથમ કાજુ, મખાના, ચોખા અને દૂધને 2 કલાક પલાળી રાખો, તેને બ્લેન્ડરમાં ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો.

Source: freepik

ખીર રેસીપી

એક પેનમાં થોડું દૂધ ઉકાળો અને તેને ઉકાળો. બનાવેલી પેસ્ટ, ઈલાયચી પાવડર ઉમેરો અને તેને મિક્સ કરો.

Source: freepik

ખીર રેસીપી

તે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો, ગેસ બંધ કરો અને ગોળ પાવડર ઉમેરો. સારી રીતે મિક્સ કરો. આને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.

Source: social-media

ખીર રેસીપી

ખાંડ વગરની ખીર ઠંડી થઇ જાય એટલે સર્વ કરો, તમે તમારા સ્વાદ અનુસાર એમાં ગોળ ઉમેરી શકો છો.

Source: social-media