થાઇરોઇડ ગ્રંથિ હોર્મોન્સને પ્રોડ્યુસ કરે છે જે તમારા શરીરના ચયાપચયને કંટ્રોલ કરે છે.
આ ગ્રંથિની ખામી હાઇપોથાઇરોડિઝમ (જ્યારે ગ્રંથિ બ્લડમાં પૂરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન બનાવતી નથી અને છોડતી નથી) અથવા હાઇપરથાઇરોઇડિઝમ (જ્યારે ગ્રંથિ હોર્મોનનું વધુ ઉત્પાદન કરે છે) તરફ દોરી જાય છે.
જેમ કે, એક આયુર્વેદ નિષ્ણાત, ઇન્સ્ટાગ્રામ પર ત્રણ હીલિંગ ફૂડ્સ શેર કરે છે, તેમના મતે, થાઇરોઇડ ગ્રંથિ અને તેની કામગીરીમાં સુધારો કરવા માટે અજાયબીઓનું કામ કરે છે.
બ્રાઝિલ નટ્સ: બ્રાઝિલ નટ્સ તમામ પ્રકારના થાઇરોઇડ રોગોને રોકવામાં તેમજ તેનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને ઓટો-ઇમ્યુન રોગો- હાશિમોટો અને ગ્રેવ્સ રોગો અને થાઇરોઇડ કેન્સરના જોખમને અટકાવે છે. "સવારે અને ખાલી પેટે 2-3 ડ્રાય શેકેલા બ્રાઝિલ નટ્સનું સેવન કરો.
પિસ્તા: કબજિયાત, ભૂખ, મૂડ સ્વિંગ, અનિદ્રા, ડ્રાયનેસ અને તણાવ જેવા થાઇરોઇડ લક્ષણોને નિયંત્રિત કરવા માટે પિસ્તા અદ્ભુત છે. પિસ્તા સાંજના નાસ્તા તરીકે અથવા દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે.
ખજૂર : ખજૂર થાઇરોઇડ માટે શ્રેષ્ઠ છે કારણ કે તે આયોડિન અને આયર્નથી ભરપૂર હોય છે અને થાઇરોઇડ હોર્મોન્સ- T3 અને T4 ના ઉત્પાદનમાં પણ હોય છે.એક્સપર્ટે 3-4 રાત પલાળેલી ખજૂર સવારે અથવા સાંજના નાસ્તા તરીકે ખાલી પેટ ખાવાનું સૂચન કર્યું છે.