Jul 20, 2025

ફરાળી રાયતા, જે ઉપવાસમાં શરીરને આપશે એનર્જી

Ajay Saroya

શ્રાવણ વ્રત 2025

શ્રાવણ માસ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો છે. શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા આરાધના કરવા માટે ઘણા લોકો ઉપવાસ વ્રત કરે છે. ખાસ કરીને મોટાભાગના લોકો શ્રાવણ સોમવાસનો વ્રત કરે છે અને ફરાળી વાનગી થાય છે.

Source: social-media

શ્રાવણ વ્રત ફરાળી વાનગી

ઉપવાસ દરમિયાન ઘણી વખત શરીરમાં એનર્જીની કમી આવી જાય છે, જેના કારણે નબળાઈ આવી શકે છે. આવી સ્થિતિમાં મખાના રાયતા વધુ સારો વિકલ્પ બની શકે છે. તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને સરળતાથી તૈયાર કરી શકાય છે.

Source: social-media

મખાના રાયતા રેસીપી સામગ્રી

1 કપ મખાના, 2 કપ દહીં, ફરાળી મીઠું, 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર, 1/2 ચમચી દેશી ઘી, દાડમના દાણા, ફુદાનાના પાન, તાજા કોથમીરના પાન

Source: social-media

મખાના શેકો

સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક કઢાઇમાં થોડુંક ઘી ઓગાળો, પછી ધીમા તાપે મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. હવે મખાના ઠંડા થવા દો. ત્યાર પછી અડધા અધકચરા ક્રશ કરી લો અને બાકીના એમને એમ રહેવા દો

Source: social-media

દહીં ફેંટો

એક વાસણમાં 2 કપ દહીં લઇ બરાબર ફેટી લો

Source: social-media

મખાના અને મસાલા ઉમેરો

પછી તેમા ફરાળી કાળું મીઠું, શેકેલું જીરા પાઉડર અને ક્રશ રહેલા મખાના ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો

Source: social-media

ફુદાનો અને કોથમીર ઉમેરો

છેલ્લે દહીમાં બાકી વધેલા મખાના, ફુદાના અને કોથમીરના પાન ઉમેરી બરાબર મિક્સ કરો, પછી તેને ઠંડુ થવા ફ્રીજમાં મૂકો

Source: social-media

દાડમ ઉમેરો

જો તમને દાડમ ખાવા ગમતા હોય તો મખાના રાયતામાં દાડમના દાણા પણ ઉમેરી થાય છે.

Source: social-media

મખાના રાયતું તૈયાર

વ્રત ઉપવાસમાં ભૂખ લાગે ત્યારે આ મખાના રાયતા ફરાળી રોટલી, પુરી કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે.

Source: social-media

Source: social-media