Jul 25, 2025
શ્રાવણનો પવિત્ર મહિનો શરુ થઇ ગયો છે. આ મહિનામાં ઘણા લોકો ઉપવાસ કરે છે અને ફરાળ કરે છે.
તમે આ ઉપવાસમાં ફરાળી ઢોકળા બનાવી શકો છો. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
મોરૈયો, સાબુદાણા, વાટેલા આદુ-મરચાં, લાલ મરચું પાઉડર, દહીં, મીઠું, પાણી, ઈનો, તેલ, જીરું, મીઠા લીમડા ના પાન, સમારેલા લીલા મરચાં સમારેલા, તલ.
સૌ પ્રથમ મોરૈયો અને સાબુદાણાને મિક્સરમાં વાટી લોટ તૈયાર કરવો. ત્યારબાદ તેને ચાળી લો. જેથી તેમાં મોટી કણીઓ રહી ન જાય.
એક બાઉલમાં આ લોટ લઈ તેમાં વાટેલા આદુ-મરચાં, દહીં, મીઠું, પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને 15-20 મિનિટ રહેવા દો.
હવે સ્ટીમરને ગરમ કરવા મુકો. ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવી થાળી ગરમ થવા દો. પછી ખીરામાં બેકિંગ સોડા ઉમેરી બરાબર હલાવીને થાળીમાં પાથરી 15 મિનિટ સુધી બફાવા દો
હવે એક પેનમાં તેલ લો. તેમા જીરું, લીલા મરચા, મીઠા લીમડાના પાન, તલ ઉમેરી વઘાર કરો.
આ વઘારને ઢોકળા પર નાખીને બરાબર મિક્સ કરી દો. ગરમા ગરમ ઢોકળાને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.