Ganesh Chaturthi 2025 । ગણેશ ચતુર્થી પર બનાવો સેવૈયા ખીર, પ્રસાદમાં બાપ્પાને ધરો

Aug 26, 2025, 03:17 PM

ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારમાં જો તમે ઉપવાસ કરવાના તો આ સેવૈયા ખીર ખુબજ ટેસ્ટી બને છે જે તમે ઘરે બનાવી શકો છો.

સેવૈયા બનાવવામાં ખૂબ જ સરળ છે અને દરેકને તેનો સ્વાદ ગમે છે. જો તમે પણ કંઈક મીઠી વસ્તુ માંગો છો જે ઝડપથી અને સરળતાથી બનાવી શકાય છો. તો આ રહી સેવૈયા રેસીપી

સામગ્રી

1/2 કપ શેકેલી વર્મીસેલી સેવ, 3 કપ દૂધ, 1/2 કપ ખાંડ સ્વાદ મુજબ, 1/4 ચમચી એલચી પાવડર, 2-3 ચમચી ડ્રાયફ્રૂટ્સ, 1 ચમચી દેશી ઘી

સેવૈયા ખીર રેસીપી

એક કડાઈમાં ઘી ગરમ કરો. જો તમારી વર્મીસેલી શેકેલી ન હોય, તો તેને ધીમા તાપે સોનેરી રંગની થાય ત્યાં સુધી શેકો.

સેવૈયા ખીર રેસીપી

હવે એ જ વાસણમાં દૂધ રેડો અને તેને ઉકળવા દો. જ્યારે દૂધ ઉકળે ત્યારે તેમાં શેકેલી વર્મીસેલી ઉમેરો અને ધીમા તાપે સતત હલાવતા રહો.

સેવૈયા ખીર રેસીપી

વર્મીસેલીને નરમ થાય ત્યાં સુધી કુક કરો, હવે તેમાં ખાંડ, એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સેવૈયા ખીર રેસીપી

સુગર સંપૂર્ણપણે ઓગળી જાય અને ખીર થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી મિશ્રણને બીજી 2-3 મિનિટ સુધી કુક કરો.

સેવૈયા ખીર રેસીપી

હવે ગેસ બંધ કરી દો. જો તમે ઈચ્છો તો, તમે તેમાં કેસરના થોડા તાંતણા પણ ઉમેરી શકો છો, તમે તેને ગરમ કે ઠંડુ સર્વ કરી શકો છો.

Ganesh Chaturthi 2025 | ગણેશ ચતુર્થી પર બનાવો ચોકલેટી બિસ્કિટ મોદક, નોંધી લો ઝટપટ રેસીપી