Aug 22, 2025
ગણેશ ચતુર્થીના તહેવામાં ગણપતિ બાપ્પાને ખુશ કરવા માટે અલગ અલગ મોદક કે લાડુનો ભોગ લગાવવામાં આવે છે.
આજે અમે તમારા માટે ગણેશ ચતુર્થી માટે ખાસ મીઠાઈ બનાવવાની એક સરળ રેસીપી લાવ્યા છીએ. તેનું નામ મોતીચૂર લાડુ છે.
ગણેશજી આનાથી ખૂબ ખુશ થશે અને તમને ખૂબ આશીર્વાદ આપશે. બજાર જેવા મોતીચૂર લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. નોંધી લો રેસીપી
ચણાનો લોટ- 1 કપ, ખાંડ- 1 કપ, નારંગી ફૂડ કલર- 1 ચપટી, પાણી- 3/4 કપ, ઘી- 2 ચમચી
હવે એક વાટકીમાં એક કપ ચણાનો લોટ ચાળીને નાખો. થોડું પાણી ઉમેરો અને ઘટ્ટ ખીરું બનાવો. ખીરું વધારે પાતળું ન હોવું જોઈએ. હવે તેને સારી રીતે મિક્સ કરો.
ગેસ પર એક કઢાઈ મૂકો. તેમાં ઘી ઉમેરો. ઘી ગરમ થાય ત્યારે નાના કાણા વાળી ચારણીમાં બેટર નાંખીને એકદમ નાની બુંદી પાડો.તેને આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.
સૌપ્રથમ એક પેનમાં એક કપ ખાંડ અને પાણી નાખો. તેને ગેસ પર મૂકો અને ચાસણી એક તાર બને ત્યાં સુધી રાંધો.વચ્ચે વચ્ચે હલાવતા રહો. તેમાં નારંગી ફૂડ કલર પણ ઉમેરો.
હવે તેને ચાસણીવાળા પેનમાં નાખો અને સારી રીતે મિક્સ કરો. તેને ઢાંકીને 3-4 મિનિટ માટે રહેવા દો જેથી ચાસણી સારી રીતે શોષાઈ જાય.
હવે તેને ગોળ લાડુનો આકાર આપો. તમે તેને પિસ્તા, બદામ અથવા કિસમિસથી સજાવી શકો છો. આમ તૈયાર થઈ જશે મોતીચૂરના લાડુ.