ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં કેરી જોવા મળે છે. કેરી સ્વાદ વધારવાની સાથે શરીર માટે પણ ફાયદાકારક છે.
કેરીમાં મેગ્નિશિયમ, પોટેશિયમ, પ્રોટીન, ફોલેટ, વિટામિન-એ જેવા શરીર માટે જરૂરી પોષક તત્વો પર્યાપ્ત પાત્રામાં જોવા મળે છે.
કેરીમાં આયરન જોવા મળે છે, જે બ્લડ કાઉન્ટ વધારવામાં મદદગાર છે.
વિટામિન-એ ના ગુણોથી ભરપૂર કેરીનું નિયમિત સેવ કરવાથી આંખો સાથે જોડાયેલી સમસ્યાથી આરામ મળે છે.
કેરીમાં રહેલું ડાયટરી ફાઇબર પાચનને સ્વસ્થ રાખવામાં લાભકારી માનવામાં આવે છે. જોકે તેને સિમિત માત્રામાં ખાવી જોઈએ.
વિટામીન સી ગુણોથી ભરપૂર કેરીનું સેવન કરવાથી રોગપ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે.
કેરીમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ સારી માત્રામાં જોવા મળે છે, જે કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે સુરક્ષા કરવામાં ઉપયોગી માનવામાં આવે છે.
કેરીમાં રહેલ ડાઇટરી ફાઇબર પાચને ક્રિયાને સ્વસ્થ રાખે છે. જેનાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી અને વજન કંટ્રોલમાં રહે છે.
કેરી મગજની કોશિકાઓને હેલ્ધી રાખવા અને મગજને તેજ બનાવવાનું કામ પણ કરે છે.