ચીન માંથી એચએમપીવી વાયરસ ભારતમાં આવી ગયો છે. HMPV વાયરસના લક્ષણ કોવિડ 19 જેવા જ છે.
ગુજરાત સરકાર દ્વારા એચએમપીવી વાયરસ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં HMPV વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું તેના વિશે જાણકારી આપી છે.
ઉધરસ કે ઝીંક આવે ત્યારે રૂમાલ વડે મોં ઢાંકવું. ઉધરસ ઝીંક વાળા વ્યક્તિથી અંતર જાળવવું
વારંવાર સાબુ કે હેન્ડવોશ વડે હાથ ધોવા.
સેનેટાઇઝરનો ઉપયોગ કરવો
ભીડવાળી જગ્યા પર જવાનું ટાળો. ફ્લુ થી પીડિત વ્યક્તિથી ઓછામાં ઓછું 1 હાથનું અંતર જાળવવું
તાવ, ઉધરસ, શરદી હોય ત્યારે જાહેર સ્થળોએ જવાનું ટાળવું. તેમજ આવી તકલીફ હોય તેવી વ્યક્તિથી અંતર જાળવવું
વિટામીન સી વાળો ખોરાક લેવો. વધુ પાણી પીવું અને પોસ્ટિક ખોરાક ખાવો
દરરોજ 6 થી 8 કલાક પુરતી ઊંઘ લેવી
ઘર અને રૂમમાં સૂર્યપ્રકાશ - હવાની પુરતી અવરજવર રાખવી. બીમારી ફેલાતી રોકવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળું વાતાવરણ રાખવું જોઇએ
શ્વસન સંબંધિત રોગના લક્ષણો જણાય તો ઘરમાં રહેવં અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
આંખ, નાક અને મોં નો બિનજરૂરી સ્પર્શ કરવો નહીં
ચેપગ્રસ્ત વ્યક્તિ એ વાપરેલી ચીજનો અન્ય વ્યક્તિએ ઉપયોગ કરવો નહીં
બીમાર હોય તો ઘરની બહાર જવાનું ટાળવું