દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને નરમ બનાવે છે, અને હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. દહીંમાં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને કોણી પર 15-20 મિનિટ માટે રહેવા દો. બાદમાં હુંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય ત્વચાના રંગને સુધારવામાં મદદ કરે છે અને કોણીઓને મુલાયમ બનાવે છે
લીંબુમાં કુદરતી બ્લીચિંગ ગુણધર્મો હોય છે, જ્યારે ખાંડ સ્ક્રબનું કામ કરે છે. લીંબુના રસમાં ખાંડ મિક્સ કરીને કોણી પર સારી રીતે ઘસો.
આનાથી મૃત ત્વચા દૂર થાય છે અને કોણીની ત્વચા નિખાર આવે છે. 10-15 મિનિટ લગાવ્યા બાદ તેને સાદા પાણીથી ધોઈ લો. આ પદ્ધતિ અઠવાડિયામાં 2-3 વખત અનુસરો.
એલોવેરા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને હાઇડ્રેટિંગ ગુણધર્મો છે, જે ત્વચાને ભેજ પ્રદાન કરે છે.
કોણી પર તાજી એલોવેરા જેલ લગાવો, તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી તેને ધોઈ લો. દરરોજ આવું કરવાથી કોણીની ત્વચાનો રંગ બદલાશે અને ત્વચા કોમળ રહેશે.
બેકિંગ સોડા એક સારો એક્સફોલિયેટર છે જે મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવો અને તેને કોણી પર 5-10 મિનિટ સુધી ઘસો. આ પછી હુંફાળા પાણીથી ધોઈ લો. આ પદ્ધતિ માત્ર કોણીની કાળાશ ઘટાડે છે, પણ ત્વચાને સ્વચ્છ અને નરમ પણ બનાવે છે.