કોથમીર (Coriander) નો ઉપયોગ દરેક ભારતીય ઘરમાં થાય છે, શાક હોય કે કઠોળ, કોથમીરનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારે છે.
કોથમીરની ઉપયોગીતાના કારણે બજારમાં તેની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં લોકોના મનમાં શંકા રહે છે કે આપણે જે કોથમીર અથવા ધાણા બજારમાંથી ખરીદીએ છીએ તે ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવ્યું છે કે નહીં.
જો તમે બીજનો ઉપયોગ કરીને ધાણાના પાંદડા ઉગાડવા માંગતા હો, તો આ માટે સારી ગુણવત્તાવાળા બીજ પસંદ કરો. ધાણાને ઝડપથી ઉગાડવા માટે સૌપ્રથમ ધાણાના બીજને તડકામાં સારી રીતે સૂકવી લો અને તેને ભારે પથ્થરથી ઘસીને બે ભાગમાં વહેંચો.
જો તમે ઝડપથી કોથમીર ઉગાડવા માંગતા હોવ તો કોટનના કપડામાં ધાણાને બાંધીને રાખો. તેને ત્રણ દિવસ સુધી કપડામાં બાંધીને રાખો અને તેના પર પાણી છાંટતા રહો, તેનાથી તે ઝડપથી અંકુરિત થશે.
કોથમીર ઉગાડવા માટે એક વાસણમાં રેતી, છાણ, કોકો પીટ અને માટી સમાન પ્રમાણમાં ઉમેરો. આ તૈયાર કરેલી માટીને 2 થી 3 દિવસ સુધી પાણી ઉમેરીને ભીની કરો.
હવે તેમાં ફણગાવેલ કોથમીર નાંખી તેની ઉપર માટી છાંટવી. દરરોજ તેમાં થોડું પાણી છાંટતા રહો, આમ કરવાથી તમે જોશો કે માત્ર 5 થી 6 દિવસમાં વાસણમાં થોડો ફરક દેખાવા લાગશે અને 20 થી 25 દિવસમાં કોથમીર તૈયાર થઈ જશે.
જ્યારે કોથમીર તૈયાર થઈ જાય, ત્યારે તેને મૂળમાંથી ક્યારેય કાઢી નાખો, તેના બદલે તમે કાતરનો ઉપયોગ કરી શકો છો, કોથમીરની દાંડી કાપી લો, જેથી તેમાં વધુ ધાણા આવી શકે.