Janmashtami 2025 | જન્માષ્ટમી પર માત્ર 10 મિનિટમાં બનાવો મલાઈ લાડુ, ભગવાન શ્રીકૃષ્ણને ધરો ભોગ, જાણો રેસીપી

Aug 16, 2025, 08:43 AM

જન્માષ્ટમી દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ જન્મદિવસ તરીકે ધામધૂમથી ઉજવામાં આવે છે, આ ખાસ દિવસ પર ભગવાનને ભોગ ધરવામાં આવે છે.

જન્માષ્ટમી માટે શેફ મેઘનાએ તેમના સોશિયલ મીડિયા પર ખાસ મલાઈ લાડુ રેસીપી શેર કરી છે, જે કૃષ્ણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

મલાઈ લાડુ ખુબજ ટેસ્ટી બને છે, તમે આ લાડુ કૃષ્ણ ભગવાનને અર્પણ ભોગમાં કરી શકો છો. અહીં જાણો મલાઈ લાડુ રેસીપી

મલાઈ લાડુ રેસીપી સામગ્રી

200 ગ્રામ પનીર, 1/2 લિટર દૂધ, 3-4 ઈલાયચી પાવડર, 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 1 કપ મિલ્ક પાવડર

મલાઈ લાડુ રેસીપી

એક પેનમાં પનીર અને દૂધ નાખીને મધ્યમ તાપે 10 મિનિટ સુધી ઉકાળો. સતત હલાવતા રહો જેથી નીચે ચોંટે નહીં.

મલાઈ લાડુ રેસીપી

મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક અને ઈલાયચી પાવડર નાખી દો, મિશ્રણ પેન છોડવા લાગે ત્યાં સુધી ધીમા તાપે પકાવો, અને સતત હલાવતા રહો.

મલાઈ લાડુ રેસીપી

મિશ્રણ છૂટું પડે એટલે ગેસ બંધ કરી તેને એક થાળીમાં કાઢી લો, મિશ્રણ સહેજ હુંફાળું હોય ત્યારે જ હાથ પર થોડું ઘી લગાવીને તેના લાડુ વાળો.

મલાઈ લાડુ રેસીપી

લાડુને મિલ્ક પાવડર અથવા સૂકા કોપરામાં રગદોળી લો., ઉપર પિસ્તા અને કેસરથી સજાવો.

મલાઈ લાડુ રેસીપી

આ લાડુને બે દિવસ સુધી બહાર રાખી શકાય અને ફ્રિજમાં એક અઠવાડિયા સુધી સારા રહેશે.

Janmashtami 2025 । જન્માષ્ટમી સ્પેશિયલ ખીચડી પ્રસાદ, ભગવાનને લગાવો ભોગ