Aug 16, 2025

Janmashtami 2025 | જન્માષ્ટમી પર માત્ર 10 મિનિટમાં બનાવો મલાઈ લાડુ, ભગવાન શ્રીકૃષ્ણને ધરો ભોગ, જાણો રેસીપી

Shivani Chauhan

જન્માષ્ટમી દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ જન્મદિવસ તરીકે ધામધૂમથી ઉજવામાં આવે છે, આ ખાસ દિવસ પર ભગવાનને ભોગ ધરવામાં આવે છે.

Source: canva

જન્માષ્ટમી માટે શેફ મેઘનાએ તેમના સોશિયલ મીડિયા પર ખાસ મલાઈ લાડુ રેસીપી શેર કરી છે, જે કૃષ્ણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

Source: canva

મલાઈ લાડુ ખુબજ ટેસ્ટી બને છે, તમે આ લાડુ કૃષ્ણ ભગવાનને અર્પણ ભોગમાં કરી શકો છો. અહીં જાણો મલાઈ લાડુ રેસીપી

Source: social-media

મલાઈ લાડુ રેસીપી સામગ્રી

200 ગ્રામ પનીર, 1/2 લિટર દૂધ, 3-4 ઈલાયચી પાવડર, 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 1 કપ મિલ્ક પાવડર

Source: social-media

મલાઈ લાડુ રેસીપી

એક પેનમાં પનીર અને દૂધ નાખીને મધ્યમ તાપે 10 મિનિટ સુધી ઉકાળો. સતત હલાવતા રહો જેથી નીચે ચોંટે નહીં.

Source: social-media

મલાઈ લાડુ રેસીપી

મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક અને ઈલાયચી પાવડર નાખી દો, મિશ્રણ પેન છોડવા લાગે ત્યાં સુધી ધીમા તાપે પકાવો, અને સતત હલાવતા રહો.

Source: social-media

મલાઈ લાડુ રેસીપી

મિશ્રણ છૂટું પડે એટલે ગેસ બંધ કરી તેને એક થાળીમાં કાઢી લો, મિશ્રણ સહેજ હુંફાળું હોય ત્યારે જ હાથ પર થોડું ઘી લગાવીને તેના લાડુ વાળો.

Source: social-media

મલાઈ લાડુ રેસીપી

લાડુને મિલ્ક પાવડર અથવા સૂકા કોપરામાં રગદોળી લો., ઉપર પિસ્તા અને કેસરથી સજાવો.

Source: social-media

મલાઈ લાડુ રેસીપી

આ લાડુને બે દિવસ સુધી બહાર રાખી શકાય અને ફ્રિજમાં એક અઠવાડિયા સુધી સારા રહેશે.

Source: social-media

Janmashtami 2025 । જન્માષ્ટમી સ્પેશિયલ ખીચડી પ્રસાદ, ભગવાનને લગાવો ભોગ

Source: freepik