Janmashtami 2025 Prasad | જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના પ્રસાદમાં બનાવો મખાના ખીર, જાણો રેસીપી

Aug 12, 2025, 03:21 PM

જન્માષ્ટમી (Janmashtami) ના પવિત્ર અવસર પર ભગવાન શ્રીકૃષ્ણને પ્રસાદ ધરવાની પરંપરા ખૂબ જ ખાસ છે.

જો તમે પણ કંઈક સ્વાદિષ્ટ અને ઝડપથી બનાવવા માંગતા હો, તો આ મખાના ખીર રેસીપી તમારા માટે યોગ્ય છે.

મખાના ખીર માત્ર 15 મિનિટમાં તૈયાર થતો આ પ્રસાદ મીઠાશ અને પોષણ બંનેથી ભરપૂર છે. અહીં જાણો મખાના પાક બનાવવાની સરળ રીત

મખાના ખીર રેસીપી

1 કપ મખાના, 1 લિટર દૂધ, 1/4 કપ ખાંડ (સ્વાદ મુજબ), 2-3 લીલી એલચી પાવડર, 1 કપ બદામ, 1/4 કપ પિસ્તા, 10 કેસર, ચમચી ઘી

મખાના ખીર રેસીપી

સૌપ્રથમ, એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના ઉમેરો અને તેને હળવા હાથે તળો જેથી તે ક્રિસ્પી થાય.

મખાના ખીર રેસીપી

મખાનાને બાજુમાં રાખીને એક મોટા વાસણમાં દૂધ નાખો અને તેને ઉકળવા દો. દૂધ બળી ન જાય તે માટે તેને હલાવતા રહો.

મખાના ખીર રેસીપી

જ્યારે અડધું દૂધ બાકી રહે ત્યારે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.

મખાના ખીર રેસીપી

હવે તેમાં શેકેલા મખાના ઉમેરો અને ખીરને ધીમા તાપે પાકવા દો. ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો.

મખાના ખીર રેસીપી

જ્યારે ખીર સારી રીતે ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં સમારેલી બદામ, પિસ્તા અને કેસરના દોરા ઉમેરો. કેસર ખીરને અદ્ભુત કલર અને સુગંધ આપશે, ખીર ગરમ કે ઠંડા બંને રીતે પીરસી શકાય છે.

Janmashtami Recipe | જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ નાળિયેર લાડુ રેસીપી, બધાને ભાવશે !