Aug 13, 2025

Janmashtami 2025 Prasad | જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના પ્રસાદમાં બનાવો મખાના ખીર, જાણો રેસીપી

Shivani Chauhan

જન્માષ્ટમી (Janmashtami) ના પવિત્ર અવસર પર ભગવાન શ્રીકૃષ્ણને પ્રસાદ ધરવાની પરંપરા ખૂબ જ ખાસ છે.

Source: freepik

જો તમે પણ કંઈક સ્વાદિષ્ટ અને ઝડપથી બનાવવા માંગતા હો, તો આ મખાના ખીર રેસીપી તમારા માટે યોગ્ય છે.

Source: canva

મખાના ખીર માત્ર 15 મિનિટમાં તૈયાર થતો આ પ્રસાદ મીઠાશ અને પોષણ બંનેથી ભરપૂર છે. અહીં જાણો મખાના પાક બનાવવાની સરળ રીત

Source: canva

મખાના ખીર રેસીપી

1 કપ મખાના, 1 લિટર દૂધ, 1/4 કપ ખાંડ (સ્વાદ મુજબ), 2-3 લીલી એલચી પાવડર, 1 કપ બદામ, 1/4 કપ પિસ્તા, 10 કેસર, ચમચી ઘી

Source: freepik

મખાના ખીર રેસીપી

સૌપ્રથમ, એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના ઉમેરો અને તેને હળવા હાથે તળો જેથી તે ક્રિસ્પી થાય.

Source: canva

મખાના ખીર રેસીપી

મખાનાને બાજુમાં રાખીને એક મોટા વાસણમાં દૂધ નાખો અને તેને ઉકળવા દો. દૂધ બળી ન જાય તે માટે તેને હલાવતા રહો.

Source: freepik

મખાના ખીર રેસીપી

જ્યારે અડધું દૂધ બાકી રહે ત્યારે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.

Source: freepik

મખાના ખીર રેસીપી

હવે તેમાં શેકેલા મખાના ઉમેરો અને ખીરને ધીમા તાપે પાકવા દો. ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો.

Source: canva

મખાના ખીર રેસીપી

જ્યારે ખીર સારી રીતે ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં સમારેલી બદામ, પિસ્તા અને કેસરના દોરા ઉમેરો. કેસર ખીરને અદ્ભુત કલર અને સુગંધ આપશે, ખીર ગરમ કે ઠંડા બંને રીતે પીરસી શકાય છે.

Source: freepik

Janmashtami Recipe | જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ નાળિયેર લાડુ રેસીપી, બધાને ભાવશે !

Source: freepik