Janmashtami 2025। જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને ભાવતો આ પ્રસાદ બનાવો, જાણો રેસીપી

Aug 13, 2025, 03:32 PM

જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે. આ તહેવારમાં ભગવાન કૃષ્ણ માટે ઘણા ભોગના પ્રસાદ ધરવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણને પંજરી પ્રિય છે, અહીં પરફેક્ટ પ્રસાદ પંજીરીની રેસીપી શેર કરી છે, જે ખુબજ ઝડપી બની જાય છે, જાણો પંજરી રેસીપી

પંજરી રેસીપી સામગ્રી

1 કપ આખા ધાણા, 1/4 કપ ખાંડ, 1 કપ મખાના, 1 /2 કપ કોપરાનું છીણ, 1/2 કપ બદામ

પંજરી રેસીપી સામગ્રી

1/2 કપ કાજુ, 1/2 કપ પિસ્તા, 1/4 કપ ઈલાયચી પાવડર, 1/4 કપ સુઠ પાવડર, 1 ટેબલસ્પૂન ઘી

પંજીરી રેસીપી

એક કડાઈમાં આખા ધાણાને ઘીમાં સુગંધિત થાય ત્યાં સુધી શેકો.

પંજીરી રેસીપી

હવે એમાં તમારી પસંદગીના બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. થોડા બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.

પંજીરી રેસીપી

બધા ડ્રાય ફ્રૂટ્સ બ્રાઉન થઇ જાય એટલે એ મિશ્રણમાં ઈલાયચી પાવડર અને સુંઠ પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

પંજીરી રેસીપી

ત્યારબાદ મિશ્રણમાં મખાના, કોપરાનું છીણ ઉમેરી સતત મિક્ષ કરતા રહો.હવે શેકેલા ધાણાને ગ્રાઈન્ડ કરી લો. હવે બધું એક ડીશમાં મિક્ષ કરો.

પંજીરી રેસીપી

હવે તમારી પરફેક્ટ પ્રસાદ પંજરી તૈયાર છે, ભગવાનને પ્રસાદમાં ધરો અને સર્વ કરો

Janmashtami 2025 Prasad | જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના પ્રસાદમાં બનાવો મખાના ખીર, જાણો રેસીપી