માલપુવા રેસીપી ! રથયાત્રા પર ભગવાન જગન્નાથને ધરાતો ખાસ પ્રસાદ

Jun 23, 2025, 03:39 PM

રથયાત્રા આ વર્ષે 27 જૂન 2025થી રથયાત્રા શરૂ થશે. આ દરમિયાન દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરે છે.

રથયાત્રા ના દિવસે ખાસ પ્રસાદમાં ભગવાન જગન્નાથને માલપુઆનો ખાસ પ્રસાદ ધરવામાં આવે છે, અહીં જાણો માલપુઆ ની સિક્રેટ રેસીપી

માલપુઆ રેસીપી સામગ્રી

1 કપ મેંદો, 1/4 કપ સોજી, 1/2 કપ ખાંડ (લોટ માટે),1/4 ચમચી એલચી પાવડર, 1/4 ચમચી વરિયાળી પાવડર (વૈકલ્પિક), 1/4 કપ દહીં, પાણી (ખીરું બનાવવા માટે), તળવા માટે તેલ/ઘી

માલપુઆ રેસીપી ચાસણી માટે સામગ્રી

1 કપ ખાંડ, 1/2 કપ પાણી, ચપટી કેસર (વૈકલ્પિક)

માલપુઆ રેસીપી

એક મોટા બાઉલમાં મેંદો, રવો, 1/2 કપ ખાંડ, ઈલાયચી પાવડર અને વરિયાળી પાવડર લો.

માલપુઆ રેસીપી

તેમાં દહીં ઉમેરી, ધીમે ધીમે પાણી ઉમેરતા જઈને ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરામાં કોઈ ગઠ્ઠા ન રહે તેનું ધ્યાન રાખો. ખીરાને 2-3 કલાક માટે ઢાંકીને રહેવા દો.

ચાસણી બનાવવી

એક વાસણમાં 1 કપ ખાંડ અને 1/2 કપ પાણી લો. તેને ઉકાળીને એકતાર ચાસણી બનાવો. તેમાં કેસર ઉમેરો અને ગેસ બંધ કરો.

માલપુઆ રેસીપી

એક કડાઈમાં તેલ/ઘી ગરમ કરો. ગરમ તેલમાં એક ચમચા ભરીને ખીરું ગોળ આકારમાં પાથરો.

માલપુઆ રેસીપી

માલપુઆને મધ્યમ આંચ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

માલપુઆ રેસીપી

તળેલા માલપુઆને ગરમ ચાસણીમાં ડુબાડીને 3 મિનિટ રહેવા દો, ચાસણીમાંથી કાઢીને ગરમ સર્વ કરો.

મકાઈ સૂપ રેસીપી, ક્રીમી, હેલ્ધી અને ટેસ્ટી, ચોમાસામાં ગુણકારી!