Matka Water Benefits : માટલાનું પાણી પીવાથી પાચનશક્તિ સુધરે?

Jun 03, 2024, 05:19 PM

ઉનાળાની અસહ્ય ગરમી રાજ્યભરમાં વર્તાઈ રહી છે. ગરમીની સીઝનમાં બોડીને ઠંડક આપવા ઠંડુ પાણી પીવાય છે.

મોટાભાગના ઘરોમાં ફ્રીજનું ચિલ્ડ પાણી પીવાય છે. ફ્રીજના પાણીથી વારંવાર તરસ લાગે છે અને તરસ છિપાતી નથી.

પરંતુ માટલુંનું પાણી ઉનાળા દરમિયાન અત્યંત શીતળતા આપે છે. વર્ષોથી જયારે ફ્રીજ ન હતા ત્યારે પાણીને ઠંડુ રાખવા માટે માટલામાં સંગ્રહિત કરવામાં આવતું હતું. અહીં જાણો ફાયદા

માટલાનું પાણી ઓરડાના તાપમાને હોય છે અને કુદરતી રીતે ઠંડુ થાય છે તેથી તે પાણી પીવાથી પાચનમાં મદદ મળી શકે છે, અત્યંત ઠંડુ પાણી રક્ત વાહિનીઓને કડક કરી શકે છે

અને પાચનમાં અવરોધ લાવી શકે છે, જ્યારે માટલાનું પાણી, હળવું ઠંડુ હોવાથી, પાચન તંત્ર પર માઈલ્ડ હોય છે અને તંદુરસ્ત પાચન પ્રક્રિયાને જાળવવામાં મદદ કરી શકે છે.

માટલાના પાણીમાં થોડા આલ્કલાઇનની પ્રકૃતિ હોવાનું માનવામાં આવે છે, જે શરીરના pH લેવલને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે, જે એસિડિટીને ઘટાડે છે અને પાચન સુધારવામાં પણ ફાળો આપી શકે છે.

ઓરડાના તાપમાને રહેલ હળવું ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ લેવલ વધારે છે. રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી મેટાબોલિક રેટને ધીમું કરી શકે છે, જ્યારે માટલાનું પાણી મેટાબોલિઝમ લેવલ જાળવવામાં મદદ કરે છે.

આ ઉપરાંત ફ્રિજમાં મુકવામાં આવતી પાણીની બોટલ પ્લાસ્ટિક હોય છે. પ્લાસ્ટિક અથવા ધાતુના કન્ટેનરને બદલે માટીના વાસણનો ઉપયોગ કરવાથી પર્યાવરણને મદદ મળે છે.

માટલામાંથી પાણી પીવાના ફાયદા હોવા છતાં, તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે તે “પરંપરાગત માન્યતાઓ” હોઈ શકે છે.