પતરવેલીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે, જે ચોમાસામાં બનાવવામાં આવે છે. અહી પતરવેલીયા બનાવવાની પરફેક્ટ રીત આપી છે.
અળવીના પાન, ચણાનો લોટ, લીલા મરચાની પેસ્ટ, લાલ મરચા અને હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, મીઠું, ખાંડ, લીંબુનો રસ, બેકિંગ સોડા, તેલ, તેલ અને આમલી ગોળનું પાણી
પાતરવેલીયા બનાવવા માટે સૌથી પહેલા અળવીના પાન પરની જાડી જાડી નસો ચાકુ વડે દૂરો, ત્યાર પછી પાણીમાં ધોઇ સાફ કરી લો
એક બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચા અને હળદર પાઉડર, લીલા મરચાની પેસ્ટ, ધાણાજીરું પાઉડર, લીંબનો રસ, સ્વાદ અનુસાર મીઠું, બેકિંગ સોડા અને આમલી ગોળનું પાણી ઉમેરી ઢોંસાના બેટર જેવું ખીરું તૈયાર કરો
એક અળવીનુ પાન લો, પાનની નસો વાળી સપાટી પર ચણાનું ખીરું લગાવો. આ પાન પર જ બીજું પાન લગાવી ફરી ચણાનું ખીરું લગાવો
આમ એકની ઉપર એક એમ 4 થી 5 અળવીના પાન પર ચણાનું લોટ લગાવી ગોળ વાળો
હવે આ પાનને બાફવા માટે ગેસ પર એક સ્ટીમરમાં પાણી ગરમ કરો, સ્ટીમરમાં અળવીના પાનને 15 થી 20 મિનિટ સુધી બાફો
અળવીના પાન બફાઇ ગયા બાદ તેને ગોળ ગોળ કાપો
ગેસ પર એક કઢાઇમાં તેલ ગરમો કરો, ગોળ કાપેલા અળવીના પાન તેલમાં ક્રિસ્પી બ્રાઉન ફ્રાય કરો
આ રીતે દક્ષિણ ગુજરાતી સ્ટાઇલમાં પતરવેલીયા બનાવી શકાય છે. વરસાદની સીઝનમાં પાતરવેલીયા ખજૂર ગોળની ચટણી અને તીખી ચટણી સાથે ખાવાની મજા પડે છે.