પાણીજન્ય ચેપને રોકવા માટે વપરાશ પહેલાં પાણી ઉકાળવું એ હાનિકારક સુક્ષ્મજીવોને મારવા માટે એક સરળ પણ અસરકારક પદ્ધતિ છે. વોટર પ્યુરીફાયર અને ફિલ્ટરનો ઉપયોગ અશુદ્ધિઓ અને પેથોજેન્સને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
પાણી સંબંધિત ચેપને રોકવા માટે યોગ્ય સ્વચ્છતાની સાવચેતી રાખવી જરૂરી છે . નિયમિતપણે સાબુથી હાથ ધોવા એ રોગ પેદા કરતા સૂક્ષ્મજીવોના સંક્રમણને રોકવામાં મદદ કરે છે.
ખાસ કરીને વરસાદની ઋતુમાં કાચો ખોરાક લેતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. પાણીનું દૂષણ ખોરાકમાં સરળતાથી ફેલાઈ શકે છે, ખાસ કરીને ફળો અને શાકભાજી કે જેને ધોવાની જરૂર હોય છે.
હાનિકારક સુક્ષ્મસજીવોના જોખમને ઘટાડવા માટે, તમારા ખોરાકને સારી રીતે ધોવા અને રાંધવાની ખાતરી કરો.
પાણીજન્ય રોગોના સંક્રમણને રોકવા માટે સારી વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જરૂરી છે. નિયમિત સ્નાન કરવું, જેથી તમારી સ્કિન અથવા મો દ્વારા શરીરમાં પેથોજેન્સ પ્રવેશવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટે છે.