Jun 10, 2024
ઉનાળાએ વિદાય લીધી છે અને ચોમાસું શરૂ થઇ ગયું છે, વરસાદી ઋતુમાં ચટપટું ખાવાની ઈચ્છા ખુબજ થાય છે, ત્યારે ફરસાણની દુકાનોમાં લોકોની લાંબી ભીડ જોવા મળે છે.
પરંતુ ફરસાણની દુકાન જેવા જ પાત્રા તમે ઘરે બનાવી શકો છો, જે ખુબજ સ્વાદિષ્ટ બને છે, જાણો રેસીપી
3- 4 અળવીના પાન, 2 કપ ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, હિંગ, આમચૂળ પાઉડર,લીંબુનો રસ, ગરમ મસાલા પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, લસણન પેસ્ટ (ઓપ્શનલ)
1 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી તલ, 10-12 મીઠા લીમડાના પાન,ચપટી ખાંડ, 3-4 લીલા મરચા, કોથમીર ગાર્નિશિંગ માટે
સૌ પ્રથમ અળવીના પાન સારી રીતે ધોઈ સાફ કરી, તેને કટ કરો. એક બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, હિંગ, આમચૂળ પાઉડર, લીંબુનો રસ,ગરમ મસાલા પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાખો અને જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરો.
હવે અળવીના બધા પાન પર આ તૈયાર બેટર લગાવો અને સ્ટીમરમાં 30 - 45 મિનિટ માટે બાફી લો. સારી રીતે બફાઈ જાય અને ઠંડા થાય એટલે ગોળ કટ કરી લો.
વઘાર કરવા માટે એક પેનમાં થોડું તેલ નાખો (પાત્રાની માત્રા પ્રમાણે ) હવે તેમાં રાઈનો વઘાર કરો, રાઈ તતડે એટલે એમાં હિંગ, મીઠા લીમડાના પાન, તલ, ખાંડ અને સમારેલ લીલા મરચા નાખો.
વઘાર તૈયાર થઇ જાય એટલે પાત્રા પર રેડો અને સારી રીતે મિક્ષ કરીને કોથમીર નાખી સર્વ કરો.
તમે ઈચ્છો તો પાત્રાને તળી પણ શકો છો અથવા હેલ્ધી ઓપ્શન માટે એર ફ્રાય પણ કરી શકો છો.