મોરૈયાની ખીચડી બનાવાની પરફેક્ટ રીત , જાણો રેસીપી

Apr 01, 2025, 03:35 PM

ચૈત્ર નવરાત્રી એક ખાસ તહેવાર છે, જે ભક્તો માટે ઉપવાસ અને ભક્તિનો સમય છે. આ સમયગાળા દરમિયાન, ઉપવાસ રાખનારા લોકો ફક્ત ચોક્કસ ફરાળી ખોરાક ખાઈ છે જેમાં મોરૈયો મુખ્ય છે.

ઉપવાસ દરમિયાન મોરૈયાની ખીચડી સરળતાથી ખાઈ શકાય છે. તમે એમાં શાકભાજી ઉમેરીને વેજ ખીચડીની એક ખાસ અને સરળ રેસીપી બનાવી શકો છો, જે ફક્ત 5 મિનિટમાં બનાવી શકો છો જે હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે.

મોરૈયા ખીચડી રેસીપી સામગ્રી

1 કપ મોરૈયો, 2 બાફેલા બટાકા, 1 ગાજર, 1/4 કપ કેપ્સિકમ, 1 થી 2 ચમચી ઘી, 1/2 ચમચી જીરું, સિંધવ મીઠું સ્વાદ અનુસાર, 1/2 ચમચી કાળા મરી, 1 ચમચી કોથમીર (સમારેલા), 2 કપ પાણી, 1 ચમચી લીંબુનો રસ

મોરૈયાની ખીચડી રેસીપી

સૌ પ્રથમ, એક પેનમાં 1 થી 2 ચમચી ઘી ગરમ કરો. પછી તેમાં જીરું ઉમેરો અને તેને તતડવા દો.

મોરૈયાની ખીચડી રેસીપી

આ પછી સમારેલા શાકભાજી (બટાકા, ગાજર, કેપ્સિકમ અને લીલા વટાણા) ઉમેરો અને 1-2 મિનિટ માટે સાંતળો. હવે તેમાં મોરૈયો ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

મોરૈયાની ખીચડી રેસીપી

પછી ૨ કપ પાણી ઉમેરો અને તેમાં સિંધવ મીઠું અને કાળા મરી ઉમેરો અને મિક્સ કરો. તવાને ઢાંકીને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી રાંધવા દો જેથી ભાત અને શાકભાજી નરમ થઈ જાય.

મોરૈયાની ખીચડી રેસીપી

જ્યારે પાણી સંપૂર્ણપણે શોષાઈ જાય અને ભાત રાંધાઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો. ઉપર લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને સર્વ કરો. આ ખીચડીમાં તમે તમારી પસંદગીના અન્ય ઉપવાસના શાકભાજી પણ ઉમેરીs શકો છો.

મોરૈયાની ખીચડી રેસીપી

જો તમને વધુ સ્વાદ જોઈતો હોય તો તમે તેને દહીં સાથે પણ ખાઈ શકો છો. આ ખીચડી ઉપવાસ દરમિયાન પેટ ભરવા માટે જ નહીં પણ પોષણ આપવા માટે પણ આદર્શ છે.

શક્કરટેટીમાંથી બનાવો ઓછા સમયમાં ટેસ્ટી આઇક્રીમ, બધાને ભાવશે