સરગવો ખાવાથી કઈ બીમારીઓ કંટ્રોલ થાય છે?

Apr 22, 2025, 10:18 AM

સ્વાસ્થ્ય માટે સરગવો

સરગવાના પાન, સિંગો, બીજનો ઉપયોગ સ્વાસ્થ માટે કરવામાં આવે છે. સરગવાને સુપરફૂટ તરીકે ઓળખવામાં આવે છે.

ઈમ્યુનિટી મજબૂત

સરગવાનું શાક ખાવાથી ઈમ્પ્યુનિટીને મજબૂત કરવામાં મદદ મળે છે. બદલાતા મૌસમમાં શરીરને સંક્રમણથી બચાવવા માટે ઈમ્યુનિટીનું મજબૂત હોવું જરૂરી છે.

હાડકાને મજબૂત બનાવે છે

સરગવામાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફોરસ મળે છે. જે બાળકોના હાડકા મજબૂત બનાવે છે. જ્યારે વૃદ્ધોમાં બોન ડેન્સિટીના ખતરાને દૂર કરે છે.

પાચન તંત્ર માટે લાભદાયી

સરગવો ખાવાથી પાચન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે. સરગવામાં થાયમિન, રાઈબોફ્લેવિન, નિયાસિન અને વિટામિન બી 12 મળે છે.

પાચન તંત્ર માટે લાભદાયી

જે કાર્બ્સ, પ્રોટીન અને વસાને તોડવાની સાથે પાચન ક્રિયામાં મદદ કરે છે.

હાઈ બીપી કંટ્રોલ

સરગવામાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ્સ હદયમાં લોહી અને પોષક તત્વોના સર્ક્યુલેશનમાં સુધારો કરે છે. જેનાથી હાઈ બીપીને નિયંત્રણ કરવામાં મદદ મળે છે.

કિડની માટે ફાયદાકારક

સરગવાનું સેવન કરવાથી કિડની અને મૂત્રાશયમાં પથરીના વિકાસને ઓછું કરવામાં મદદ મળે છે. સરગવામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કિડનીથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.

કેન્સરનો ખતરો ઓછો કરે છે

સરગવામાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન એ, સી, બીટા-કેરોટીન અને નિયાજિમિસિની પ્રચુર માત્રા કેન્સર કોશિકાઓના નિર્માણને રોકવામાં મદદ કરે છે.