Navratri 2025। નવરાત્રી ઉપવાસમાં પણ રહેશે એનર્જી, આ રીતે નારંગીનો રસ બનાવીને પિવો

Sep 28, 2025, 09:20 PM

ઉપવાસ દરમિયાન શરીરને ડિટોક્સ અને તાજગી આપનારા ફૂડની જરૂર હોય છે. નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી, ઉપવાસ દરમિયાન ઘણાને ક્યારેક એનર્જી ઓછી લાગે છે.

જો તમે નવ દિવસ ઉપવાસ કરી રહ્યા છો, તો આ ઘરે બનાવેલા નારંગીનો રસ અજમાવી જુઓ. આ જ્યુસ પીવાથી તમને માત્ર ઠંડક અને તાજગી જ નહીં મળે, પરંતુ તે તમારી એનર્જી ટકાવી રાખવામાં મદદ કરશે છે.

નારંગીનો રસ તમે સવારે, બપોરે અથવા સાંજે પી શકો છો. આ નવરાત્રીમાં આ ખાસ નારંગીનો રસ અલગ રીતે જાતે બનાવો, જે સ્વાદમાં મીઠો અને પૌષ્ટિક છે. તે બનાવવા માટે ખૂબ જ સરળ છે. અહીં જાણો

નારંગી રસ માટે સામગ્રી

છોલીને સમારેલ 4-5 નારંગી, મધ - 1-2 ચમચી (સ્વાદ મુજબ), 1 ચમચી લીંબુનો રસ, 1/2 કપ પાણી (જરૂર મુજબ), ફુદીનાના પાન - 4-5 પાન (સજાવટ માટે)

નારંગીનો રસ રેસીપી

સૌ પ્રથમ નારંગીની છાલ કાઢીને તેના ટુકડા કરી લો, હવે નારંગીના ટુકડાને બ્લેન્ડરમાં નાખો.

નારંગીનો રસ રેસીપી

પછી તેમાં 1-2 ચમચી મધ અને ૧ ચમચી લીંબુનો રસ ઉમેરો. જો તમને રસ ખૂબ જાડો લાગે, તો અડધો કપ પાણી ઉમેરો અને તેને સારી રીતે ભેળવી દો.

નારંગીનો રસ રેસીપી

તૈયાર કરેલા રસને ચાળણી દ્વારા ગાળી લો, પછી રસને ગ્લાસમાં રેડો, તેને બરફ અને ફુદીનાના પાનથી સજાવો.