Sep 24, 2025

નવરાત્રી માટે મહાપ્રસાદ બનાવવાની રીત, પરફેક્ટ માપ નોંધી લો

Ajay Saroya

નવરાત્રી માટે મહાપ્રસાદ

નવરાત્રીમાં નવે નવ દિવસ માતાજીને પ્રસાદ ભોગ ધરાવવામાં આવે છે. તેમા આઠમ અને નોમ પર માતાજીને મહાપ્રસાદનો ભોગ અર્પણ કરવાય છે. અહીં પરફેક્ટ માપ સાથે નવરાત્રી માટે મહાપ્રસાદ બનાવવાની રેસીપી આપી છે.

Source: social-media

મહાપ્રસાદ બનાવવા માટે સામગ્રી

ઘી - 750 ગ્રામ, સોજી - 750 ગ્રામ, ખાંડ - 750 ગ્રામ, એલચી પાઉડર - 2 ચમચી, દૂધ - 3 લીટર (ગરમ કરેલું), ડ્રાયફુટ્સના ટુકડા - 1 વાટકી

Source: social-media

ઘી ગરમ કરો

ગેસ પર એક કઢાઇમાં 750 ગ્રામ શુદ્ધ ઘી ગરમ કરો

Source: social-media

ઘીમાં સોજી શેકો

ઘી ગરમ થાય એટલે તેમા સોજી મીડિયમ આંચ પર 20 થી 25 મિનિટ સુધી શેકવાની છે. સોજી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે. આ દરમિયાન સોજી સતત હલાવતા રહેવું જેથી દાઝી ન જાય.

Source: social-media

દૂધ ઉમેરો

સોજી શેકાઇ જાય બાદ કઢાઇમાં 3 લીટર દૂધ અને ઉમેરો. આ દૂધ ગરમ કરેલું હોવું જોઇએ.

Source: social-media

સોજીને પકવવા દો

કઢાઇમાં દૂધ પછી ખાંડ ઉમેરી સોજીને સતત હલાવતા રહો, જેથી શીરો દાઝી ન જાય.

Source: social-media

સોજીના શીરાને પકવવા દો

સોજી બધું દૂધ શોષી લે અને ઘી છુંટું થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

Source: social-media

ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો

સોજી માંથી ઘી છુંટું થવા લાગે ત્યારે છેલ્લે એલચી પાઉડર અને કાજુ બદામ સુકી દ્રાક્ષના ટુકડા, પીસ્તા ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી લો.

Source: social-media

માતાજીને મહાપ્રસાદ ધરાવો

નવરાત્રી માટે મહાપ્રસાદ તૈયાર છે. આ રીતે પરફેક્ટ માપ સાથે તૈયાર કરેલો સોજીના શીરાનો મહાપ્રસાદ એકદમ દાણા લાગશે અને મોંમાં મુકતા જ ઓગળી જશે.

Source: social-media