Navratri 2025 | ઉપવાસમાં ગળ્યું ખાવાની ઈચ્છા રહ્યા તો બનાવો ટેસ્ટી શિંગોડાના લોટનો શીરો, જાણો રેસિપી

Sep 21, 2025, 06:29 PM

નવરાત્રિ (Navratri) ને હવે ગણતરીના દિવસ બાકી છે. આ ખાસ તહેવારમાં નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. ઘણા ભક્તો 9 દિવસ નવરાત્રીના ઉપવાસ કરે છે.

નવરાત્રિ ઉપવાસની રેસીપી અહીં શેર કરી છે. ઉપવાસ દરમિયાન શિંગોડાનો લોટ માંથી શિરો બનાવી શકાય છે કે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શિંગોડાના લોટનો શિરો (Singhoda Na Lot No Shiro Recipe) બનાવવાની રેસીપી શેર કરી છે,

શિંગોડાના લોટનો શિરો રેસીપી સામગ્રી

1 વાટકી શિંગોડાનો લોટ, 1 કપ પાણી, 2-3 ચમચી ઘી, 1/2 કપ ખાંડ અથવા ગોળ (સ્વાદ મુજબ), 2 કપ પાણી અથવા દૂધ, 1/4 ચમચી ઈલાયચી પાવડર, 1-2 ચમચી ડ્રાયફ્રૂટ્સ (બદામ, કાજુ, પિસ્તા વગેરે)

શિંગોડાના લોટનો શિરો રેસીપી

એક પેનમાં ઘી ગરમ કરો, તેમાં શિંગોડાનો લોટ અને પાણી ઉમેરો અને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરો.

શિંગોડાના લોટનો શિરો રેસીપી

લોટનો કાચોપણું દૂર થાય છે અને શીરામાં અદ્ભુત સુગંધ આવે છે એક અલગ વાસણમાં પાણી અથવા દૂધ ગરમ કરો.

શિંગોડાના લોટનો શિરો રેસીપી

અને તેમાં ખાંડ અથવા ગોળ ઉમેરો અને તેને સારી રીતે ઓગાળી લો, જ્યારે લોટ સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં ધીમે-ધીમે ખાંડ અથવા ગોળનું પાણી ઉમેરો.

શિંગોડાના લોટનો શિરો રેસીપી

હવે તેને સતત હલાવતા રહો જેથી કરીને કોઈ ગઠ્ઠો ન બને, જ્યારે શિરો ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.

શિંગોડાના લોટનો શિરો રેસીપી

ત્યારબાદ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો, ગરમા ગરમ શિરો તૈયાર છે. તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.