હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જેમાં ઘણો લોકો ઉપવાસ કરે છે.
ઉપવાસ માટે તમે ઘરે મગફળીના લાડવા બનાવી શકો છે. જેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
સીંગદાણા, ઘી, ગોળ કે ખાંડ, કાજુ, બદામ, પિસ્તા.
સીંગદાણાના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ સીંગદાણાને એક કડાઈમાં ધીમી આંચ પર શેકો. સીંગદાણા શેકાઈ જાય એટલે એક થાળીમાં કાઢી લો.
સીંગદાણા હાથ વડે મસળીને તેનો છાલ ઉતારી નાખો. આ પછી તેને મિક્સરમાં દરી લો.
હવે એક કઢાઈ માં ઘી ઉમેરો. ઘી ગરમ થઇ જાય એટલે ગોળ ઉમેરો. હવે ઘી માં ગોળ બરાબર રીતે મિક્સ કરો.
ઘી માં ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે સીંગદાણા ઉમેરો અને બધાને સારી રીતે મિક્સ કરો.
હવે સીંગદાણાના મિક્સરને એક થાળીમાં લઇ લો. તેના ઉપર તમે છીણેલા કાજુ, બદામ, પિસ્તા નાખી શકો છો.
આ મિક્સરને થોડું ઠંડુ થવા દો. પછી હાથમાં થોડું ઘી લગાવીને લાડુ બનાવો. તમે લાડુને ડબ્બામાં ભરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.