Raksha Bandhan 2025 : રક્ષા બંધન પર ખાસ બનાવો ખાંડ વગર નાળિયેર લાડુ, ટેસ્ટી અને હેલ્ધી પણ!

Aug 04, 2025, 03:22 PM

રક્ષા બંધન (Raksha Bandhan) ભાઈ બહેનના પ્રેમની ઉજવણીનો તહેવાર છે, આ વખતે આ પર્વ 9 ઓગસ્ટએ આવે છે, આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

રક્ષા બંધનનો તહેવાર મીઠાઈઓ વિના અધૂરા લાગે છે. મીઠાઈઓ તહેવારોની શાન છે.મોટાભાગના લોકો બહારથી મીઠાઈઓ લાવે છે, પરંતુ બહારથી મીઠાઈઓ લાવવાને બદલે તમે આ સરળ મીઠાઈ આરામથી ઘરે બનાવી શકો છો.

નારિયેળના લાડુ નાળિયેરમાંથી બનાવવામાં આવે છે અને ખાંડ અથવા ગોળ એન ઈલાયચી સાથે બનાવવામાં આવે છે.

સામગ્રી

1 કપ મિલ્ક પાવડર, 1/2 કપ દૂધ, 1/2 કપ છીણેલું નારિયેળ, 1/4 કપ કન્ડેન્સ મિલ્ક, 4 ચમચી ઘી, 1/2 ચમચી એલચી પાઉડર

નાળિયેર લાડુ રેસીપી

એક તવાને ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. ઘી ઓગળી જાય એટલે તેમાં દૂધ ઉમેરો અને દૂધ ગરમ થાય ત્યાં સુધી ઉકળવા દો.

નાળિયેર લાડુ રેસીપી

હવે તેને સતત હલાવતા રહીને મિલ્ક પાવડર ઉમેરો, જેથી તે ગઠ્ઠો ન બને કે તવા પર ચોંટી ન જાય.

નાળિયેર લાડુ રેસીપી

એક મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે, આ સમયે કન્ડેન્સ મિલ્ક અને એલચી પાવડર ઉમેરીને એક મિનિટ પકાવો.

નાળિયેર લાડુ રેસીપી

સૂકા નાળિયેરનું છીણ ઉમેરો અને 2-3 મિનિટ માટે અથવા જ્યાં સુધી મિશ્રણ તવા પર ચોંટવાનું બંધ ન કરે, સોફ્ટ ટેક્સચર માટે જરૂર પડે તો એક ચમચી ઘી ઉમેરો.

નાળિયેર લાડુ રેસીપી

નાળિયેરમાં થોડો ભેજ રહેવો જોઈએ. વધુ કુક કરશો નહીં નહીંતર મિશ્રણ સુકાઈ જશે અને લાડુ સખત થઈ જશે.

નાળિયેર લાડુ રેસીપી

તમારા હાથમાં થોડું નારિયેળના લાડુનું મિશ્રણ થઇ જાય એટલે ગેસ બંધ કરો અને થોડીવાર માટે તેને ઠંડુ થવા દો, હવે લાડુ બનાવી સર્વ કરો.

Janmashtami 2025 | જન્માષ્ટમી 2025 પર બનાવો બદામના લાડુ, ડાયાબિટીસમાં પેટ ભરીને ખાઓ !