રક્ષાબંધન પર બહેનો દૂધ કે મલાઈ વગર ઘરે બનાવો આ લાડુ,ભાઈને ચોક્કસ પસંદ આવશે

Jul 24, 2025, 01:41 PM

નાળિયેર લાડુ

રક્ષાબંધન જેવા તહેવારો મીઠાઈ વિના અધૂરા છે. પરંપરાગત ભારતીય મીઠાઈઓ ફક્ત તહેવારમાં સ્વાદ જ નહીં પરંતુ દરેક વાનગીમાં હૂંફ અને પ્રેમ પણ ઉમેરે છે.

નાળિયેર લાડુ

આ રક્ષાબંધન પર બહેનો મીઠાશ ભેળવવા ઈચ્છો તો નાળિયેરમાંથી ફટાફટ બનતા લાડુની રેસીપી ટ્રાય કરી શકો છો.

નાળિયેર લાડુ

નાળિયેરના લાડુ ઝડપથી બની જશે અને બનાવવા માટે માત્ર ત્રણ ચાર વસ્તુની જ જરૂર પડશે.

સામગ્રી

2 કપ છીણેલું નાળિયેર (તાજું કે સૂકું), 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 2 ચમચી ઘી, ½ ચમચી એલચી પાઉડર, સમારેલી બદામ (વૈકલ્પિક)

નાળિયેરની છીણ શેકવી

એક કડાઈમાં ઘી ગરમ કરો, બે કપ નાળિયેર છીણ ઉમેરો અને 2-3 મિનિટ માટે શેકો.

કન્ડેન્સ્ક મિલ્ક ઉમેરો

ત્યારબાદ મીશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મિશ્રણ ઘટ થાય ત્યા સુધી હલાવતા રહીને રાંધો.

ઈલાયચી પાઉડર ઉમેરો

મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે ઈલાયચી પાઉડર ઉમેરો અને સારી રીતે મીકસ કરીને ઠંડુ થવા દો.

લાડવા બનાવવા

લાડવાનું મીશ્રણ સહેજ ઠંડુ થાય ત્યારે હાથમાં ઘી લગાવીને તેના નાના નાના લાડુ તૈયાર કરવા.

તૈયાર લાડુને ગાર્નિશ કરો

ઉપરથી કોપરાની છીણ અને બદામની કતરણથી ગાર્નિશ કરો. આ લાડુ રક્ષાબંધનની થાળીમાં ચાર ચાંદ લગાવશે.