Jul 28, 2025
રક્ષાબંધન પર બજારની ભેળસેળવાળી મીઠાઇના બદલે તમારે ઘરે શુદ્ધ મીઠાઇ બનાવવી જોઇએ. અહીં માવા વગર એક સ્પેશિયલ કાજુ કમલ ભોગ મીઠાઇ બનાવવાની રેસીપી આપી છે. માત્ર કાજુ માંથી બનેલી આ મીઠાઇમાં માવાના ભેળસેળની પણ ચિંતા રહેતી નથી.
કાજુ, ખાંડ, પાણી એલચી પાઉડર, ચાંદીની વરખ
કાજુ ભોગ મીઠાઇ બનાવવા માટે સૌથી પહેલા કાજુ મિક્સર જારમાં પીસીને બારી પાઉડર બનાવો, પછી તેને ચારણી વડે ચાળી લો
ગેસ ચાલુ કરી હવે એક પેનમાં પાણી નાંખો, પછી તેમા ખાંડ ઓગાળો
હવે તેમા કાજુ પાઉડર ઉમેરી બરાબર શેકો, ખાંડ વાળી શોષાઇ ઘટ્ટ કાજુનો લોટ રહે ત્યાં સુધી શેકવું
પછી કાજુના લોટના 3 સરખા ભાગ પાડો
હવે દરેક ભાગમાં ફૂડ કલર ઉમેરો, આમ કુલ 3 રંગનો કાજુ લોટ તૈયાર થશે
હવે દરેકના નાના બોલ બનાવો
હાથ વડે એક બોલને ચપોટો કરી તેની અંદર બીજો બોલ મૂકો, આમ એક પછી એક 3 કલરનું પડ કરો
પછી દરેક બોલ પર ચાંદીની વખર ચઢાવો
છેલ્લે આ બોલને ઉપરથી કટર વડે 6 ભાગમાં કટ કરો
રક્ષાબંધન માટે શુદ્ધ કાજુ ભોગ મીઠાઇ તૈયાર છે. ઘરે બનાવેલા કાજુ ભોગ મીઠાઇ ફ્રિજમાં 4 થી 6 દિવસ સુધી ફ્રેશ રહે છે.