Rath Yatra 2025। રથયાત્રામાં મગ, જાંબુ અને કાકડી નો પ્રસાદ વહેંચવાનું કારણ

Jun 24, 2025, 02:40 PM

અમદાવાદની રથયાત્રામાં મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વિતરણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે અને તે રથયાત્રાના સમય સાથે સુસંગત છે. મગ, જાંબુ અને કાકડી નો પ્રસાદ વહેંચવાનું વૈજ્ઞાનિક કારણ છે, જાણો

મગ

મગ ચલાવે પગ' એ કહેવત તમે સાંભળી હશે ! મગ ખુબજ તાકાત વાળા માનવામાં આવે છે, ફણગાવેલા મગ પ્રોટીન, વિટામિન A, B, D અને E તેમજ ખનીજ તત્વોથી ભરપૂર હોય છે.

મગ ખાવાના ફાયદા

મગ રથયાત્રા દરમિયાન લાંબા સમય સુધી ચાલતા ભક્તોને એનર્જી પૂરી પાડે છે અને તેમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. બીમાર વ્યક્તિને પણ ઊભા કરવાની તાકાત મગમાં હોય છે તેમ મનાય છે.

ડિહાઇડ્રેશન

ચોમાસાની શરૂઆતમાં રથયાત્રા નીકળે છે, ત્યારે વાતાવરણમાં ભેજ અને ગરમીને કારણે ડિહાઇડ્રેશનની શક્યતા રહે છે.

કાકડી

કાકડીમાં પુષ્કળ પાણી અને પોષક તત્વો હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રાખે છે અને તાજગી આપે છે.

જાંબુ

જાંબુ ચોમાસાનું ફળ છે અને તેમાં લગભગ 80% પાણી હોય છે. તે મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમથી પણ ભરપૂર હોય છે, જે ભેજવાળા વાતાવરણમાં શરીરને શક્તિ પ્રદાન કરે છે.

માલપુવા રેસીપી ! રથયાત્રા પર ભગવાન જગન્નાથને ધરાતો ખાસ પ્રસાદ