લીંબુ પાણી પીવાનો સાચો સમય કયો?

May 02, 2025, 02:45 PM

ઉનાળા (summer) ની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવું મહત્વપૂર્ણ બની જાય છે. ત્યારે લીંબુ પાણીને સૌથી સરળ, સસ્તું અને અસરકારક પીણું માનવામાં આવે છે.

લીંબુ, ખાંડ અને મીઠાથી બનેલું આ પીણું શરીરને તાજગી તો આપે છે જ પણ સાથે ડિહાઇડ્રેશન પણ અટકાવે છે. પરંતુ શું તમે જાણો છો કે જો ખોટા સમયે લીંબુ પાણી પીવામાં આવે તો તેના ફાયદા કરતા નુકસાન વધુ થઈ શકે છે? અહીં જાણો લીંબુ પાણી પીવાનો સાચો સમય

સવારે ખાલી પેટ

જો તમારો ઉદ્દેશ્ય વજન ઘટાડવાનો અને તમારા શરીરને ડિટોક્સ કરવાનો છે, તો સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાનો શ્રેષ્ઠ સમય છે. તે બોડી ડીટોક્સ કરે છે અને ચયાપચયને ઝડપી બનાવે છે, જેનાથી વજન ઝડપથી ઘટે છે.

કસરત પછી

કસરત પછી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટની ઉણપ થાય છે. ત્યારે લીંબુ પાણી પીવાથી શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે અને થાક દૂર થાય છે.

બપોરના ભોજન પછી

જે લોકોને બપોરના ભોજન પછી પાચન સંબંધી સમસ્યાઓ હોય છે, તેમના માટે બપોરના ભોજન પછી 30 મિનિટ પછી લીંબુ પાણી પીવું ફાયદાકારક છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ગેસ, અપચો જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

લીંબુ પાણી ક્યારે ન પીવું?

જો તમે રાત્રે લીંબુ પાણી પીઓ છો તો તેનાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે. આનાથી એસિડિટી, એલર્જી અને વારંવાર પેશાબ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી રાત્રે તેને પીવાનું ટાળો.

લીંબુ પાણી ક્યારે ન પીવું?

લીંબુમાં એસિડ હોય છે જે ખાલી પેટે મોટી માત્રામાં લેવામાં આવે તો પેટને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, તેની માત્રા ધ્યાનમાં રાખો.

લીવરમાં જમા થયેલી બધી ગંદકી થઈ જશે સાફ, આ પીણાં છે અસરકારક