સામાન્ય રીતે દરેક ઘરમાં ભોજન બાદ ગણતરીની રોટલીઓ તો બચી જ જતી હોય છે.
મોટાભાગના ઘરોમાં બચેલી રોટલીને વઘારીને ચા સાથે પણ ખવાતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બચેલી રોટલીમાંથી અનેક પ્રકારની વાનગીઓ બને છે.
બચેલી રોટલીને થોડી ગરમ કરીને ભુક્કો કર્યા બાદ તેમાં ઘી અને ગોળ નાંખીને ચુરમું બનાવવામાં આવે છે
બચેલી રોટલીમાં બાફેલા બટાકા, વટાણા, ડુંગળીનો મસાલો ભરીને તવી પર શેકીને ટાકોઝ બનાવવામાં આવે છે.
બચેલી રોટલીને લોઢાની તવી પર ખાખરાની જેમ દબાવી દબાવીને સેકીને ખાખરા બનાવવામાં આવે છે.
બચેલી રોટલીને મનગમતા આકારમાં કાપીને તેલમાં તળવાથી અને તેના ઉપર મરચું મીઠું માસાલા સાથે તળેલી રોટલી બનાવવામાં આવે છે. આનો સ્વાદ જોરદાર આવે છે.
બચેલી રોટલીના ટુકડા કરીને દહીમાં માસાલા નાખી લસણ અને ડુંગળીના વઘાર સાથે બનાવવામાં આવે છે.
રોટલીને દહીંમાં પલાળીને તેમાં હાંડવામાં જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરીને હેલ્થી હાંડવો બનાવી શકાય છે.
બચેલી રોટલીમાંથી સક્કર પારા આકારમાં ટૂકડા કરીને તેલમાં તળવીને ઉપરથી મરચું મીઠું ભભરાવીને બનશે મસાલા શક્કરપારા.
બચેલી રોટલીને વાટકીના આકારમાં કટ કરીને તેના ઉપર પીઝાના ટોપિંગ કરીને બેક કરવાથી રોટી મીની પિઝા બની જશે.
રાટલીને તેલમાં તળ્યા બાદ તેનો ભુક્કો કરીને તમાં ડુંગળી, ટામેટા, ધાણા, ચાટ મસાલો, લીલા મરચા, લીંબુ નાંખીને ભેળ બનાવી શકાય.
દરેક ઘરમાં બચેલી રોટલીમાંથી વઘારેલી રોટલી બનાવવામાં આવે છે. રોટલીને એકદમ ઝીણી મસળીની તેલમાં વઘારીને વઘારેલી રોટલી બનાવવામાં આવે છે.