કેટલાક લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે અને જ્યારે તેઓ વધુ પડતું પરફ્યુમ લગાવે છે, ત્યારે તેમાં રહેલા કેમિકલ એલર્જી અથવા ફોલ્લીઓનું કારણ બને છે. સ્કિન પર લાલાશ, ખંજવાળ અથવા બળતરા અનુભવી શકાય છે.
પરફ્યુમમાં રહેલી તીવ્ર સુગંધ કેટલાક લોકોને અસ્વસ્થતા પહોંચાડી શકે છે. તેનાથી માત્ર માથાનો દુખાવો જ નથી થતો, પરંતુ માઈગ્રેનથી પીડાતા લોકો માટે તે વધુ પીડાદાયક પણ હોઈ શકે છે.
વધુ પડતું પરફ્યુમ લગાવવાથી તેની સુગંધ હવામાં ખૂબ ફેલાય છે, જેના કારણે અસ્થમા કે શ્વાસની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
પરફ્યુમ લગાવવાનો અર્થ તાજગીનો અનુભવવાનો થાય છે, પરંતુ જ્યારે તેનું પ્રમાણ વધુ પડતું થઈ જાય છે, ત્યારે તે સામેની વ્યક્તિને બળતરા કરી શકે છે. ક્યારેક ઓફિસ કે અન્ય જગ્યાએ લોકો સ્મેલથી અસ્વસ્થતા અનુભવી શકે છે.