ઉનાળામાં ગરમીને કારણે પરેસેવો વધુ થવાથી પાણી વધુ પીવાય છે અને ભૂખ ઓછી લાગે છે.
રાજ્યમાં ધગધગતી ગરમી પડી છે. અમદાવાદનું તાપમાન 46 ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યારે શરીરને ગરમીથી બચાવવું જરૂરી છે. અહીં આપેલ સમર ડ્રિંક તમને ગરમીથી આપશે રાહત!
ગરમીથી રાહત મેળવવા માટે આપણે દિવસભરના ભોજનમાં સલાડના રૂપમાં ડુંગળીનું સેવન કરવું જોઈએ.
લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાથી હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે, તેથી ડુંગળીનું સેવન અમૃતનું કામ કરે છે.
હાર્ટને લગતી સમસ્યાવાળા લોકો ગરમીમાં ડુંગળીનું સેવન રોજ કરે તો માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરી શકે છે.
ડુંગળીમાં જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ ખાસ કરીને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને પોષણ આપે છે. ડુંગળી ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
પાણીથી ભરપૂર ડુંગળીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. સોડિયમ અને પોટેશિયમથી ભરપૂર આ શાકભાજી શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે.