ઉનાળા શરૂ છે ત્યારે આપણે પરસેવો વધુ થવાને લીધે પાણી, ડ્રિન્ક અને અન્ય હેલ્થી ફ્રૂટ્સ ખાવાનો આગ્રહ રાખીએ છીએ. ફ્રૂટ્સની વાત આવે ત્યારે આપણે તડબૂચ કેમ ભૂલી શકીયે!
તડબૂચ અનેક સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર છે, પરંતુ શું તમને ખબર છે આ ફ્રૂટની સાથે તેના તડબૂચના બીજ (Watermelon Seeds) પણ એટલા ફાયદાકરાક છે. અહીં જાણો
તરબૂચના બીજ મેગ્નેશિયમનો સાર સ્ત્રોત છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને અને યોગ્ય હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપીને હૃદયઈ તંદુરસ્તી જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે ઝિંક મહત્વપૂર્ણ છે, તરબૂચના બીજમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. રોગપ્રતિકારક કોષો જે ચેપ અને કોઈપણ વિકાર સામે લડવામાં મદદ કરે છે તે ઝીંકની મદદથી ઉત્પન્ન થાય છે અને સક્રિય થાય છે.
તરબૂચના બીજમાં ફાઇબર અને અસંતૃપ્ત ચરબી હોય છે, જે પાચનના સ્વાસ્થ્યને ટેકો આપવા અને સ્વસ્થ આંતરડાને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે.
નિષ્ણાત કહે છે કે તરબૂચના બીજ પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે હેલ્થી સ્કિન અને હેર માટે મદદ કરી શકે છે. આ પોષક તત્વો બળતરા ઘટાડવા અને ખીલને રોકવામાં પણ મદદ કરી શકે છે.
મજબૂત અને સ્વસ્થ હાડકાં રાખવા માટે આપણને કેલ્શિયમની જરૂર હોય છે અને તરબૂચના બીજમાં ખનિજ હોય છે. હાડકાના સ્વાસ્થ્ય ઉપરાંત, તે સ્નાયુઓના કાર્ય સુધારે છે.
તડબૂચના બીજ કાચા ખાવા જોઈએ અથવા તેને કોઈ વાનગીમાં ઉમેરીને ખાવા જોઈએ. અથવા તમે તરબૂચના બીજને શેકીને મીઠું નાખી ખાઈ શકો છો.